Team Chabuk-National Desk: NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ દેશનાં 15માં રાષ્ટ્રપતિ બની ગયા છે. આ સાથે જ દેશને પ્રથમ આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ મળી ગયા છે. વડાપ્રધાન મોદી દ્રૌપદી મુર્મૂને મળવા પહોંચ્યા હતા. PM મોદીએ દ્રૌપદી મુર્મુને અભિનંદન આપતા કહ્યું- ભારતે ઈતિહાસ લખ્યો છે. જ્યારે ભારત આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે, પૂર્વી ભારતના દૂરના ગામમાં જન્મેલા એક આદિવાસી સમુદાયની દીકરી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. દ્રૌપદી મુર્મુને અભિનંદન.
UPAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હાએ પણ હાર માની લીધી છે. તેમને મુર્મુને અભિનંદન આપતા કહ્યું- દ્રૌપદી મુર્મુને તેમની જીત પર અભિનંદન આપ્યાં છે. દેશને આશા છે કે ગણતંત્રના 15માં રાષ્ટ્રપતિ તરીકે તેઓ કોઈ ભય કે પક્ષપાત વગર બંધારણના સંરક્ષકના રૂપમાં કાર્ય કરશે.
ભાજપે દાવો કર્યો છે કે, આ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 17 સાંસદોએ ક્રોસ વોટિંગ કર્યું છે. તર્ક આપ્યો છે કે, ભાજપને દ્રૌપદી મુર્મૂના સમર્થનમાં 523 સાંસદોના મતની આશા હતી જો કે, તેમને 540 મત મળ્યા. એટલે કે, 17 સાંસદોએ ક્રોસ વોટિંગ કર્યું. આ જ રીતે 104 ધારાસભ્યોએ પણ યસવંત સિન્હાની જગ્યાએ દ્રૌપદી મુર્મૂને પોતાની પહેલી પસંદ માન્યા છે. એવો પણ દાવો છે કે, ગુજરાતમાંથી 10 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે જેમાંથી 7 ધારાસભ્યો કોંગ્રેસના છે.
ગુરુવારે સવારે 11 વાગ્યે કાઉન્ટિંગ શરૂ થયું જેમાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ UPAના ઉમેદવાર યશવંત સિન્હાને ત્રીજા રાઉન્ડની ગણતરીમાં જ હરાવી દીધા.મુર્મુને જીત માટે જરૂરી 5 લાખ 43 હજાર 261 વોટ ત્રીજા રાઉન્ડમાં જ મળી ગયા. થર્ડ રાઉન્ડમાં જ મુર્મુને 5 લાખ 77 હજાર 777 વોટ મળ્યાં. તો યશવંત સિન્હાને 2 લાખ 61 હજાર 62 વોટ મળ્યાં. જેમાં રાજ્યસભા અને લોકસભાના સાંસદો સહિત 20 રાજ્યોના વોટ સામેલ છે.
મુર્મુને રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ શુભેચ્છા આપી. તેમને કહ્યું- રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પ્રભાવી જીત મેળવવા બદલ દ્રૌપદી મુર્મુને અભિનંદન. તેઓ ગામ, ગરીબ, વંચિતોની સાથે સાથે ઝુંપડીમાં પણ લોક કલ્યાણ માટે સક્રિય રહ્યાં છે. આજે તેઓ તેમની વચ્ચેથી નીકળીને સર્વોચ્ચ બંધારણના પદ સુધી પહોંચ્યા છે. આ ભારતીય લોકતંત્રની તાકાત છે.
રાજ્યસભાના સેક્રેટરી જનરલ પીસી મોદીએ જણાવ્યું હતું કે, બપોરે 2 વાગ્યે સાંસદોની મત ગણતરી પૂરી થઈ છે. તેમાં દ્રોપદી મુર્મુને 540 મત મળ્યાં. જેનું મૂલ્ય 3 લાખ 78 હજાર છે. યશંવત સિન્હાને 208 સાંસદોના મત મળ્યા છે. જેનું મૂલ્ય 1 લાખ 45 હજાર 600 છે. સાંસદોના કુલ 15 વોટ રદ થયા છે. તો સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 17 સાંસદોએ ક્રોસ વોટિંગ કર્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત