Team Chabuk-Gujarat Desk: અમદાવાદથી સાળંગપુર કષ્ટભંજન દેવના દર્શને હવે માત્ર 40 મિનિટમાં જ પહોંચી શકાશે. આગામી સમયમાં અમદાવાદના કાંકરિયાથી સાળંગપુર મંદિર સુધી દરરોજની હેલિકોપ્ટર રાઈડ શરૂ થવા જઈ રહી છે. યાત્રા ધામ વિકાસ બોર્ડ હેલિકોપ્ટર રાઈડની જાહેરાત કરી છે. આ કાર્ય પર આખરી ઓપ પણ આપી દીધો છે. એક શક્યતા એવી છે કે, આગામી મે મહિનાથી જ આ સેવા શરૂ થઈ શકે છે.

યાત્રા ધામ વિકાસ બોર્ડની જાહેરાત અંતર્ગત સાળંગપુર હનુમાનજી મંદિર દ્રારા મંદિરથી 700 મીટરના અંતરે બે હેલિપેડ બનાવાયા છે. જ્યાં હેલિકોપ્ટર ઉતરી શકશે.
પ્રાથમિક માહિતી મુજબ બેઝડ એરોટ્રાન્સ કંપની દ્રારા હેલિકોપ્ટર રાઈડ શરૂ કરાશે. જેનું આશરે 30 હજાર જેટલું ભાડું હશે અને 6 લોકો માટે બેસી શકાય તે ક્ષમતાનું હેલિકોપ્ટર હશે. એટલે કે, એક વ્યક્તિ 5 હજાર રૂપિયામાં માત્ર 40 મિનિટમાં જ સાળંગપુર પહોંચી શકશે.
માત્ર સાળંગપુર જ નહીં પરંતુ યાત્રા ધામ વિકાસ બોર્ડ દ્રારા આગામી દિવસોમાં અંબાજી, શ્રીનાથજી, પાલીતાણા, સાળંગપુર, સોમનાથ, વડનગર, નડાબેટ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી તેમજ તલગાજરડા સહિતના યાત્રા ધામ માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવા જઈ રહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત