Team Chabuk-Gujarat Desk: ભારતના પ્રવર્તમાન કાયદા મુજબ પુખ્તવયની બે સમલૈંગિક વ્યક્તિઓ સાથે રહી શકે છે. આવો એક કિસ્સો બનાસકાંઠામાં સામે આવ્યો છે. બનાસકાંઠાની એક યુવતીએ પોતાની સ્ત્રીમિત્ર સાથે રહેવાનું નક્કી કરી લીધું છે અને તેની સાથે મૈત્રીકરાર પણ કરી લીધા છે. તેણે ત્યાં સુધી વિચારી લીધું હતું કે, જો સ્ત્રીમિત્ર સાથે રહેવા નહીં મળે તો આત્મહત્યા કરી લેશે.
બનાસકાંઠાની 24 વર્ષીય યુવતીની આ વાત છે. માતાનું નિધન થતાં તે પોતાના પિતા અને ભાઈ સાથે જ રહે છે. એક તબક્કે યુવતીની જીદે પરિવારજનોની ચિંતા વધારી દીધી હતી. યુવતી ઉંમરલાયક થતાં પરિવારજનોએ તેના લગ્ન કરવાનું વિચાર્યું. જો કે, જ્યારે પરિવારજનોએ તેને લગ્નની વાત કરી તો યુવતીએ ના કહી દીધુ અને જે જવાબ આપ્યો તેનાથી પરિવાર ચોંકી ગયો. યુવતીએ એવું કહ્યું હતું કે હું લગ્ન કરવા માગતી નથી. મારે એક સ્ત્રી મિત્ર છે, તેની સાથે મૈત્રીકરાર છે. યુવતીએ સાત મહિના પહેલાં તેની સ્ત્રીમિત્ર સાથે મૈત્રીકરાર કરી લીધા હતા.
પરિવારજનોએ કોઈ યુવક સાથે લગ્ન કરવાનું દબાણ કરતાં તેણે આપઘાત કરવાનો વિચાર પણ કરી લીધો હતો. પરંતુ છેલ્લે બનાસકાંઠા 181 અભયમની મદદ લીધી હતી, જેમાં ટીમે તેને સમજાવી સુરક્ષિત સ્થળે ખસેડી હતી.બનાસકાંઠા 181 અભયમનાં કાઉન્સેલરે કહ્યું હતું કે, હતું કે શહેરના એક વિસ્તારમાં રહેતી એક યુવતી ઉંમરલાયક થતાં પરિવારજનોએ તેને લગ્ન કરવાનું કહ્યું હતું, પરંતુ તે તેમની વાત સાંભળતી ન હતી, આથી ચિંતામાં મુકાયેલા તેના ભાઇ તેમજ પિતાએ ખાનગીમાં પૂછતાં યુવતીનો જવાબ સાંભળી તેઓ ખૂબ જ અવઢવમાં મુકાઇ ગયા હતા. યુવતીએ એવું કહ્યું હતું કે હું લગ્ન કરવા માગતી નથી. મારે એક સ્ત્રી મિત્ર છે, તેની સાથે મૈત્રીકરાર છે. તેની સાથે જ રહેવા માગું છું. લગ્ન કરવાનું દબાણ કરાશે તો આપઘાત કરતાં પણ અચકાઈશ નહિ.
ભાઈ અને પિતાએ તેને બહુ સમજાવી, બીજા સમાજના યુવક સાથે પણ જો ઈચ્છે તો લગ્ન કરાવીશું, પરંતુ સ્ત્રી સાથે રહેવું યોગ્ય નથી એવું દબાણ કરતાં યુવતીએ આપઘાત કરી લેવાનું નક્કી કરી લીધુ હતું. 181 અભયમની ટીમ મહિલા પોલીસ શિલ્પાબેન સાથે યુવતીના ઘરે ગયા હતા. જો કે, યુવતી પોતાની વાત પર અડગ રહેતાં તેને સુરક્ષિત સ્થળે લઈ જવાઈ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
