Team Chabuk-Sports Desk: હાલ બર્મિંઘમમાં કોમનવેલ્થ ગેમ્સ-2022નું આયોજન કરાયું છે. જેમાં વિશ્વભરના ખેલાડીઓ વિવિધ રમતોમાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે ભારતે શુક્રવારના રોજ બેડમિન્ટનમાં પાકિસ્તાનને 5-0 થી કારમી હાર આપી હતી. આ હાર બાદ પાકિસ્તાની ખેલાડીનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જે પાકિસ્તાનની સ્થિતિનું વર્ણન કરે છે. ભારત સામે મળેલી હાર બાદ પાકિસ્તાનની જાણીતી બેડમિન્ટન ખેલાડી મહૂર શહઝાદે કહ્યું કે, જો અમારી પાસે ભારત જેવી સુવિધાઓ હોત તો અમે પણ સારું પ્રદર્શન કર્યું હોત. મહૂરે કહ્યું કે, પાકિસ્તાનમાં ભારત જેવી આંતરરાષ્ટ્રીય એકેડમી પણ નથી.
મહૂરે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, ભારત વિશ્વની સૌથી સારી ટીમમાંથી એક છે. તેઓ ગત કોમનવેલ્થ ગેમ્સમાં ચેમ્પિયન બની હતી. અમે અહીંયાથી શીખીને ટીમને મજબૂત કરીશું. મહૂરે કહ્યું કે, પીવી. સિંધુ વર્લ્ડ ચેમ્પિયન છે. તેની રમત જોવાની ખૂબ જ મજા આવી. પાકિસ્તાનમાં રમત-ગમતને કેવો સહકાર મળે છે તે વિશે વાત કરતાં કહ્યું કે, અમારે ત્યાં કોઈ આંતરરાષ્ટ્રીય કક્ષાની એકેડમી પણ નથી. ભારતમાં તો દરેક જગ્યાએ આવી સુવિધા છે.
મહૂરે પાકિસ્તાનની સ્થિતિ અંગે વાત કરતાં કહ્યું કે, અમારે જાતે જ ટ્રેનિંગ લેવી પડે છે. અમે પણ ઈચ્છીએ છીએ કે ભારતમાં જેવી રીતે બેડમિન્ટન પર ધ્યાન દેવામાં આવી રહ્યું છે તેવું જ અમારા દેશમાં પણ થાય. અમારા દેશમાં ફોકસ રમત ગમત પર નથી. કેમ કે દેશની હાલત સારી નથી. અત્યારે લોકોને ખાવા-પીવાની અને રહેવાની મદદ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
