Homeગુર્જર નગરીઅંબાજી મંદિરમાં શરદ મહોત્સવની ભવ્ય ઉજવણી, મંદિરના ચાચરચોકમાં હજારો દીવડાઓની આરતી

અંબાજી મંદિરમાં શરદ મહોત્સવની ભવ્ય ઉજવણી, મંદિરના ચાચરચોકમાં હજારો દીવડાઓની આરતી

Team Chabuk-Gujarat Desk: શરદપૂર્ણિમાંના દિવસે જગત જનની મા અંબાની મંગળા આરતી સવારે 6 કલાકે કરાઈ હતી. આરતી ટાણે માં અંબાના માઈ ભક્તો ભાવવિભોર બન્યાં હતા. ત્યાં જ માં અંબાના દિવ્ય દર્શન અને મંગળા આરતીનો લાભ લેવા માટે દર્શનાર્થીઓની વહેલી સવારથી મોટી કતારો લાગી હતી. શરદ પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ અંબાજી યાત્રાળુઓથી ઉભરાઈ ગયું હતું અને માં અંબાના ચાચર ચોકમાં પણ માઇ ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો. મંદિરમાં માં અંબાની જય-જયકાર સાથે ભક્તિનો માહોલ સર્જાયો હતો.

શક્તિપીઠ અંબાજીમાં આજે શરદ મહોત્સવની ઉજવણી થઇ હતી. જે અંતર્ગત અંબાજીના ચાંચર ચોકમાં મહાઆરતીનું આયોજન કરાયું હતું. જેમાં 30 હજાર દીપ પ્રગાટાવવામાં આવ્યા હતા. જેમા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, સાથે જ ધારાસભ્યો અને સાંસદ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલા, ધારાસભ્યોને, સંસદ સભ્યો સહીત કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પણ ઉપસ્થિત રહ્યા. અંબાજી મંદિર પરિષર સાહિત અંબાજીના બજારોમાં વેપારીઓને યાત્રિકોએ પણ દીપ પ્રગટાવી મહાઆરતીમાં ભાગ લીધો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments