Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરમાં પતિએ પત્નીની ગળુ દબાવીને હત્યા કરી છે. શહરેના નારોલ વિસ્તારમાં એક મકાનમાંથી મહિલાની લાશ મળી આવી હતી. જે મામલે પોલીસે તપાસ કરતા મહિલાના પતિએ જ મહિલાની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. મહિલાનો પતિ હત્યા કર્યા બાદ ટ્રેનમાં બેસીને તેના વતન તરફ જવા રવાના થતો હતો. તે સમયે જ પોલીસે તેની ધરપકડ કરી છે. પત્નીના ચારિત્ર્ય પર શંકા હોવાથી હત્યા કરી હોવાનું હાલ પતિએ જણાવ્યું છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નારોલના આકૃતિ ટાઉનશિપના એચ બ્લોકમાં રીંકુ ઉર્ફે રિયા ભારદ્વાજ નામની મહિલાની લાશ મળી આવી હતી. ઘરમાં અન્ય કોઈ વ્યક્તિ હાજર ના હોવાથી પોલીસે સૌથી પહેલા હત્યા મામલે મહિલાના પતિ અજય ભારદ્વાજ પર જ શંકા હતી, જેથી પોલીસે તે દિશામાં જ તપાસ હાથ ધરી હતી. હત્યારા પતિ અજયને પોલીસએ યુપી જતી ટ્રેનમાંથી જ ઝડપી પાડ્યો હતો. આરોપીને 2 બાળકો પણ હતાં.
આરોપીની પૂછપરછ કરવામાં આવી ત્યારે સામે આવ્યું હતું કે, 9 વર્ષ અગાઉ અજયે તેના જ ફોઈની દીકરી રીંકુ સાથે લવ મેરેજ કર્યાં હતાં. લગ્ન કર્યા બાદ તેઓ ભાગીને અમદાવાદ આવી ગયાં હતાં. નારોલ ખાતેના મકાનમાં છેલ્લા 6 મહિનાથી તેઓ ભાડે રહેતાં હતાં. સંતાનમાં 2 બાળકો પણ છે. પત્નીને લગ્ન બાદ પેટ સંબંધી કોઈ બીમારી હોવાથી પીપળજના કોઈ મહંત સાથે ઈલાજ કરાવતી હતી. આ દરમિયાન અજયને રીંકુના અનૈતિક સંબંધ હોવાની જાણ થઈ હતી. જેથી તેને પત્નીની હત્યાનો પ્લાન 5 દિવસ અગાઉ જ બનાવી દીધો હતો.
23 ડિસેમ્બરના રાતે જમ્યા બાદ સૂઈ ગયાં હતાં, ત્યારે મોડી રાતે 1:30 વાગ્યાએ અજયે પત્ની રીંકુનું ઊંઘમાં જ ગળું દબાવી હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ અગાઉથી જ ગોરખપુર જવા માટે ટ્રેનની ટિકિટ બુક કરાવી દીધી હતી. હત્યા બાદ ઘરને બહારથી બંધ કરી અજય બે બાળકો સાથે ટ્રેનમાં પોતાના વતન તરફ જવા રવાના થયો હતો. જોકે સવારે પોલીસને હત્યાની જાણ થતાં તાત્કાલિક અજયની ધરપકડ કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
