Team Chabuk-Gujarat Desk: કેનેડામાં વધુ એક ગુજરાતી યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ટોરોન્ટોમાં રહેતા ગુજરાતના DySPના દીકરાની લાશ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સિક્યુરિટીમાં રહી ચૂકેલા DySPનો દીકરો સાત દિવસ પહેલાં ગુમ થયો હતો અને હવે તેની લાશ મળી છે.
મૂળ ભાવનગરના સિદસર ગામના વતની અને હાલ પાલનપુર ખાતે ફરજ બજાવતા DySP રમેશભાઈ ડાંખરાનો 23 વર્ષીય પુત્ર આયુષ ડાંખરા ધોરણ-12 બાદ વધુ અભ્યાસ માટે સાડા ચાર વર્ષ પહેલાં કેનેડા ગયો હતો, જે ગત તારીખ 5 મેના રોજ ગુમ થઈ ગયો હતો. આ અંગે મિત્રોએ પરિવારને જાણ કરી તેમજ આયુષ ગુમ થવાની ત્યાંની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એના બીજા દિવસે કેનેડા પોલીસને તેને લાશ મળી આવી હતી.

આયુષના કાકા નારણભાઇ ડાંખરાએ જણાવ્યું કે, મૃતક આયુષ રમેશભાઈ ડાંખરા 23 વર્ષનો હતો. તેના પરિવારમાં એક નાનો ભાઈ અને માતા-પિતા છે. નાનો ભાઈ ગાંધીનગરમાં અભ્યાસ કરે છે, જ્યારે તેના પિતા રમેશભાઈ પાલનપુર ખાતે DySP તરીકે ફરજ બજાવે છે. રમેશભાઈ મારા પિતરાઇ છે. અમે બધા ભાવનગરના સિદસર ગામમાં રહીએ છીએ. આયુષે ધો. 12 સુધીનો અભ્યાસ ગાંધીનગરમાં કર્યો છે અને એ પછી આગળ ભણવા માટે તે સીધો કેનેડા ગયો હતો. કેનેડામાં તેને આશરે સાડા ચાર વર્ષ થયાં હશે. છ મહિનામાં તેની માસ્ટર ડિગ્રી પૂરી થવાની હતી. ત્રણ વર્ષ કોલેજ કરી પાછો માસ્ટર્સનું ભણતો હતો.
મહત્વનું છે કે, આયુષના પિતા રમેશભાઈ DySP છે અને હાલ પાલનપુર ખાતે ફરજ બજાવી રહ્યા છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે 2001થી 2014 સુધી તેમની સિક્યુરિટીમાં હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
