Team Chabuk-Gujarat Desk: રાજકોટ આજીડેમ ચોકડી પાસે ગત રાત્રિના એક અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. રાત્રિના 1 વાગ્યા નજીક આજી ડેમ ચોકડી પાસે આ અકસ્માતની ઘટના બની હતી. બંધ ટ્રક પાછળ બાઇક અથડાતાં રાજકોટના મંદિરમાં રહી પૂજા કરતાં ગઢકાના યુવકનું મોત થયું હતું. યુવકનું મોત થઈ જતા પરિવારમાં ગમગીની છવાઈ ગઇ છે.
ત્રંબા નજીકના ગઢકાના રહેવાસી કશ્યપભાઇ પંડયા (ઉ.વ.28) રાજકોટમાં જયંત કે. જી. રોડ પર આવેલા શ્રી ઘેલારામજી ઓૈદિચ્ય બ્રાહ્મણ સમાજના મંદિરમાં રહી સેવા પૂજા કરતા હતા. ગઇકાલે તેઓ બાઇક લઇને પોતાના ગામ ગઢકા ગયા હતા. રાત્રિના 1 વાગ્યા આસપાસ બાઈક લઈને રાજકોટના મંદિર ખાતે પરત આવી રહ્યા હતા ત્યારે આજીડેમ ચોકડી પાસે ઉભેલા બંધ ટ્રક પાછળ બાઇક અથડાઈ જતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. તેમને તાત્કાલિલ 108માં લઈ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
પોલીસે તપાસ હાથ ધરતાં તેમની ઓળખ થઇ હતી. મૃત્યુ પામનાર યુવક બે ભાઇઓમાં મોટા હતા. તેમને સંતાનમાં એક પુત્રી છે. મંદિરમાં સેવા પૂજા અને કર્મકાંડ કરી ગુજરાન ચલાવતા હતા. બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઇ હતી.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત