Team Chabuk-Gujarat Desk: બોટાદમાં એક મોટી દુર્ઘટના બની. શહેરના કૃષ્ણસાગર તળાવમાં ન્હાવા પડેલા પાંચ યુવાનો ડૂબી ગયા. દુર્ઘટનામાં પાંચે પાંચ યુવાનોના મોત થયા છે. મળતી માહિતી મુજબ ન્હાવા પડેલા બે યુવાનો ડૂબવા લાગ્યા હતા. તે જોઈ તેમને બચાવવા માટે તળાવમાં કૂદેલા ત્રણ યુવાનો પણ ડૂબી ગયા હતા.
બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ ઉપરાંત ફાયર વિભાગની ટીમને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી. ફાયરવિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે દોઢ કલાકની જહેમત બાદ પાંચેય યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક માહિતી અનુસાર તમામ મૃતકો બોટાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત તમામ મૃતદેહોને બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.

મૃતકોના નામ
- અહેમદ ઉર્ફે ભાવેશ વઢવાણિયા
- અશરફ ઉર્ફે રુમિત વઢવાણિયા
- જુનેદ અલ્તાફભાઈ કાજી
- અસદ આરીફ ખંભાતી
- ફૈઝાન નાઝીરભાઈ ગાંજા

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત