Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથના વેરાવળના ઇન્દ્રોઈ ગામે 7 વર્ષના બાળકનું કુવામાં પડી જતા મોત થયું છે. બાળક ક્યાંય ન દેખાતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. જો કે, 18 કલાક સુધી બાળકનો મૃતદેહ મળ્યો ન હતો. ત્યારબાદ ખેતરમાં આવેલા કુવામાં જોતા પરિવારજનોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.
ઇન્દ્રોઈ ગામે વાડી વિસ્તારમાં રહેતો 7 વર્ષનો અલ્પેશ ગાવડિયા રવિવારે બપોરના સમયે વાડીમાં રમતો હતો અને અચાનક ગુમ થઈ ગયો હતો. જેથી અલ્પેશની શોધખોળ શરૂ કરાઈ હતી. 18 કલાક બાદ જાણ થઈ હતી કે બાળક કૂવામાં પડી ગયો છે. ત્યારબાદ ફાયર વિભાગની ટીમને જાણ કરાઈ હતી.

ફાયર વિભાગે ભારે જહેમત બાદ બાળકના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. ખેડૂત પરિવાર પર અચાનક આવી પડેલી આફતના કારણે સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ છે. મૃતક અલ્પેશ ખેડૂતનો એકનો એક દીકરો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
