Team Chabuk-Gujarat Desk: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં માતા-પુત્રી પર ચાલુ પંખા સાથે છત પડતાં બન્નેના કરુણ મોત નિપજ્યા છે. ગત રાત્રે આ દુઃખદ બનાવ બન્યો છે. રાત્રિના સમયે માતા-પુત્રી ઘરમાં ઉંઘી રહ્યા હતા તે દરમિયાન માતા-પુત્રી પર ચાલુ પંખા સાથે છત પડી હતી. છત પડતાં માતા-પુત્રી નીચે દટાયા હતા. જેમાં બન્નેના મોત નિપજ્યા છે. ઘટના બાદ તાત્કાલિક બંનેને સારવાર માટે 108માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, હિંમતનગરના પોલો ગ્રાઉન્ડના મુસ્તફા મસ્જિદ રોડ પર આવેલી સર્વોદય સોસાયટી સામેના ઘરમાં સોમવારે રાત્રે માતા-પુત્રી ઊંઘી રહ્યા હતા. બંને રાત્રિના સમયે ઉંઘી રહ્યા હતા તે દરમિયાન ઉપરથી ચાલુ પંખો છત સાથે નીચે પડ્યો હતો. જેમાં માતા-પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરી હતી. 108 મારફતે માતા-પુત્રીને સારવાર માટે પહેલા ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ તબિયત બગડતાં તેઓને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જો કે સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે બન્નેને મૃત જાહેર કર્યા હતા. આ મામલે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
