Homeગુર્જર નગરીનોકરી છોડીને જઈ રહ્યો હતો Googleનો કર્મચારી, રોકવા માટે ગૂગલે 300% વધારી...

નોકરી છોડીને જઈ રહ્યો હતો Googleનો કર્મચારી, રોકવા માટે ગૂગલે 300% વધારી દીધો પગાર

Team Chabuk-National Desk: Googleનો એક કર્મચારી કંપની છોડીને IIT મદ્રાસના ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા શરૂ કરાયેલા સ્ટાર્ટઅપમાં જોડાવા વિચારી રહ્યો હતો, પરંતુ આ સમાચાર મળતાં જ કંપનીએ અચાનક કર્મચારીના પગારમાં 300%નો વધારો કરી દીધો અને તેને કંપનીમાં જ રોકી લીધો.

છેલ્લા કેટલાક સમયથી વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલમાં છટણી અંગેની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી. હજારો કર્મચારીઓને બહારનો દરવાજા દેખાડવામાં આવ્યો હતો પરંતુ હવે કંપનીએ એવું કામ કર્યું છે કે તે ફરી ચર્ચામાં આવી ગઈ છે. જો કે, આ વખતે છટણીની વાત નથી પરંતુ કંઈક બીજું છે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. હકીકતે ગૂગલનો એક કર્મચારી તેની નોકરી છોડીને બીજી કંપનીમાં જવાનું વિચારી રહ્યો હતો. જો કે, કંપની તેને છોડવા માંગતી ન હતી. એટલે જકર્મચારીને રોકવા માટે ગૂગલે તેના પગારમાં 10-20 ટકા નહીં પરંતુ સીધો 300 ટકાનો વધારો કરી દીધો.

ગૂગલ તરફથી 300 ટકા પગાર વધારાના સમાચાર ચર્ચાનો વિષય બની ગયા છે. કંપનીના સીઈઓએ આ વાતનો ખુલાસો કર્યો હતો જેમાં કર્મચારી ગૂગલ છોડીને જોડાવાનું વિચારી રહ્યો હતો. એક ખાનગી અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર Googleનો આ કર્મચારી IIT મદ્રાસના આ ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા શરૂ કરવામાં આવેલા સ્ટાર્ટઅપ પર્પ્લેક્સીટી AI સાથે જોડાવા જઈ રહ્યો હતા. પરંતુ જ્યારે કંપનીએ તેનો પગાર આટલો વધાર્યો તો તે ગૂગલમાં જ રોકાઈ ગયો.

Perplexity AIના CEO અરવિંદ શ્રીનિવાસે બિગ ટેક્નોલોજી પોડકાસ્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. આ બાબતે વાત કરતાં તેમણે કહ્યું કે અત્યારે ગૂગલ પોતાના કર્મચારીઓને જાળવી રાખવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. જે કર્મચારી અમારી કંપનીમાં જોડાવા જઈ રહ્યો હતો તે Google સર્ચ ટીમનો ભાગ હતો અને તેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સાથે કોઈ લેવાદેવા ન હતા છતાં કંપનીએ તેને છોડતા અટકાવવા માટે તેના પગારમાં નોંધપાત્ર વધારો કરવો જરૂરી માન્યું તેમણે કહ્યું કે 300 ટકાનો પગાર વધારો આશ્ચર્યજનક છે.

આ બાબતનો ખુલાસો કરતી વખતે, CEO અરવિંદ શ્રીનિવાસે ટેક કંપનીઓમાં ચાલી રહેલી છટણી વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે ટેક કંપનીઓ કયા માપદંડોનો ઉપયોગ કરે છે તે નક્કી કરવા માટે કયા કર્મચારીઓને છોડવા જોઈએ અને કોને જાળવી રાખવા જોઈએ તે અંગે સતત અનિશ્ચિતતા રહે છે. સામાન્ય રીતે, કંપનીઓ માત્ર ઊંચા પગારવાળા કર્મચારીઓને જ લક્ષ્ય બનાવે છે, જેઓ અન્ય કર્મચારીઓની સરખામણીમાં ઉત્પાદનમાં ઓછું યોગદાન આપે છે.

ગૂગલનું આ પરાક્રમ એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે કંપનીમાં છટણીની પ્રક્રિયા ચાલી રહી છે. આ વર્ષે, 2024ની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી મહિનામાં જ, કંપનીએ ઘણા વિભાગોમાં છટણીની જાહેરાત કરી હતી. આ ક્રમમાં, ગૂગલના હાર્ડવેર, સેન્ટ્રલ એન્જિનિયરિંગ અને ગૂગલ આસિસ્ટન્ટ પર કામ કરતી ટીમમાંથી લગભગ 1000 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. અગાઉ વર્ષ 2023માં પણ કંપનીએ 12,000 કર્મચારીઓની મોટી છટણી કરી હતી. માત્ર ગૂગલ જ નહીં, અન્ય ઘણી ટેક કંપનીઓમાં પણ મોટી સંખ્યામાં કર્મચારીઓને બહારનો દરવાજો બતાવાયો હતો અને ઘણાએ તાજેતરમાં છટણીની જાહેરાત કરી છે.

GOOGLE (2)

તાજોતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments