Team Chabuk-Guajrat Desk: અમદાવાદના સરદારનગરમાં પરિણીતા પર એક તરફી પ્રેમમાં એક શખ્સે છરી વડે હુમલો કરી દીધો. આરોપીએ પરિણીતાના ગળાના ભાગે છરી મારી દેતા પરણિત મહિલા લોહીલૂહાણ થઈ ગઈ હતી અને દર્દથી ચીસો પાડવા લાગી હતી. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાઈ હતી. સદનસીબે આ ઘટનામાં મહિલાનો જીવ બચી ગયો છે પરંતુ તેના ગાળાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પોતાના પુત્રને સ્કૂલ મૂકવા માટે એક જ રિક્ષામાં જતી હતી. દરમિયાન રિક્ષાચાલક સાથે પરિચય થયો હતો. બાદમાં રિક્ષાચાલક પરિણીતાના પ્રેમમાં પડ્યો હતો અને તેની સાથે જ લગ્ન કરવાની જીદે ચડ્યો હતો. જો કે, મહિલાએ લગ્નની માટે ઈનકાર કર્યો તો આરોપીએ તેની હત્યા કરવાનો પ્લાન ઘડી કાઢ્યો.

અમદાવાદના સરદારનગરમાં રહેતી પરિણીત પ્રેમિકાને પામવા માટે યુવક તેના પરિવાર સાથે પિતાના ઘરે પહોંચી ગયો હતો, ત્યાં પરિણીતાએ છૂટાછેડા લીધા નથી તો કઈ રીતે તેની સાથે લગ્ન કરે તેવી વાત કરી હતી. આથી પ્રેમી ઉશ્કેરાયો હોવાનો દાવો છે.
આ સમગ્ર કેસમાં પોલીસ દોડતી થઈ છે અને મહિલા પર હુમલો કરનારા આરોપીને ઝડપી લીધો છે. હાલ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ ઈજાગ્રસ્ત મહિલા હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
