Team Chabuk-Gujarat Desk: ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર ક્રેશ (Helicopter crash)ની દુર્ઘટના બની છે. આ ઘટનામાં કુલ સાત લોકોના મોત થયા છે. જેમાં ભાવનગરની ત્રણ યુવતીઓનો પણ સમાવેશ થાય છે. હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં ભાવનગરની ત્રણ યુવતીઓના મોત થયા છે. યુવતીઓની મોતની જાણ થતાં જ પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
મૃતકોના નામ
અનિલસિંહ પરમાર- પાયલટ (ઉં.વ. 57)- મુંબઈ મહારાષ્ટ્ર
ઉર્વિ બારડ- (ઉં.વ. 25)- ભાવનગર, ગુજરાત
કૃતિ બારડ- (ઉં.વ. 30)- ભાવનગર, ગુજરાત
પૂર્વા રામાનુજ- (ઉં.વ. 26)- ભાવનગર, ગુજરાત
સુજાતા- (ઉં.વ. 56)- અન્ના નગર, ચેન્નઈ
કલાબેન- (ઉં.વ. 50)- અન્ના નગર, ચેન્નઈ
પ્રેમ કુમાર- (ઉં.વ. 63)- અન્ના નગર, ચેન્નઈ
મૃતક ઉર્વી જયેશભાઈ બારડ અને કૃતિ કમલેશભાઈ બારડ બંને પિતરાઈ બહેનો હોવાનું જાણવા મળ્યું છે. બંને ભાવગરના દેસાઈનગર-2માં રહે છે. જેમાંથી એકનો તો આજે જન્મદિવસ હતો. જ્યારે પૂર્વા રામાનુજ નામની અન્ય યુવતી ભાવનગર જિલ્લાના સિહોરની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગરની યુવતીઓ 14 તારીખે કેદારનાથ ભગવાન શિવજીના દર્શન માટે ગઈ હતી. 17મી તારીખે જવાનું અને ત્યાંથી દર્શન કરી પરત આવવા માટે હેલિકોપ્ટરની ટિકિટ બુક કરવામાં આવી હતી. યુવતીઓ દર્શન કરી પરત ફરી રહી હતી ત્યારે કેદારનાથથી બે કિલોમીટર દૂર ગરુડચટ્ટી પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.


કેદારનાથ ધામમાં બપોરે 12 વાગ્યાની આસપાસ એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. મળતી માહિતી પ્રમાણે કેદારનાથથી બે કિલોમીટર પહેલા ગરુડચટ્ટીમાં આ હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટર ક્રેશમાં 2 પાઇલટ અને 5 શ્રદ્ધાળુઓ એમ કુલ 7 લોકોનાં મોત થયાં છે. હેલિકોપ્ટરે ઉડાન ભર્યાની થોડી જ ક્ષણોમાં ક્રેશ થઈને નીચે પડ્યું હતું. હેલિકોપ્ટર જ્યાં ક્રેશ થયું ત્યાંથી હેલિકોપ્ટરના પાર્ટ્સના ટુકડે ટુકડા જોવા મળી રહ્યા છે.
વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું
ઉત્તરાખંડમાં બનેલી આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને ટ્વિટ કરીને કહ્યું કે, ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર દુર્ઘટનાથી દુઃખી છું. આ દુઃખદ સમયમાં મારી સંવેદના મૃતકોના પરિવારો સાથે છે.
Anguished by the helicopter crash in Uttarakhand. In this tragic hour, my thoughts are with the bereaved families: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 18, 2022
અમિત શાહે દુ:ખ વ્યક્ત કર્યું
અમિત શાહે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે, કેદારનાથમાં શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરના દુર્ઘટનાની ઘટના ખૂબ જ દુઃખદ છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકોના પરિવારજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
केदारनाथ में श्रद्धालुओं को ले जा रहे हेलिकॉप्टर के क्रैश की घटना बहुत दुःखद है। इस दुर्घटना में जान गवाने वाले सभी लोगों के परिजनों के प्रति संवेदना व्यक्त करता हूँ। ईश्वर उन्हें यह दुःख सहने की शक्ति दें।
— Amit Shah (@AmitShah) October 18, 2022
આજે કેદારનાથથી 2 કિ.મી. દૂર એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. અકસ્માતમાં 7 લોકોનાં મોતના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર આર્યન હેલી કંપનીનું હતું. એ ગરુડચટ્ટી પાસે ક્રેશ થયું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
