Team Chabuk-Gujarat Desk: બાગેશ્વર ધામ સરકારના ધિરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવી આવશે. ધિરેન્દ્ર શાસ્ત્રી 25 મેના રોજ અમદાવાદમાં 17થી 25 મે, 2023 દરમિયાન યોજાઇ રહેલા એક ધાર્મિક કાર્યક્રમમાં શ્રી શિવમહાપુરાણ કથામાં સામેલ થવા માટે આવી રહ્યા છે.
કોણ છે ધિરેન્દ્ર શાસ્ત્રી ?
બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત થયેલા ધિરેન્દ્ર શાસ્ત્રીનો જન્મ 4 જુલાઇ, 1996માં મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના ગડા પંજ ગામમાં એક બાહ્મણ કુટુંબમાં થયો છે. તેમના પિતાનું નામ રામ કૃપાલ ગર્ગ અને માતાનું નામ સરોજ ગર્ગ છે. તેમને નાનપણથી ધર્મ-ભક્તિ પ્રત્યે વધારે લગાવ હતો. તેમણે સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ સનાતન ધર્મના પ્રચારક અને કથા વાયક છે. ધિરેન્દ્ર શાસ્ત્રીના દરબારનું તેમના ગામ ગડા પંજ ખાતે આવેલા હનુમાન મંદિર બાગેશ્વર ધામમાં આયોજન કરવામાં આવે છે. તેમણે ચમત્કારો, અલૌકિક શક્તિથી લોકોની સમસ્યાઓ દૂર કરવાનો દાવો કર્યો છે.
મહત્વનું છે કે, સનાતન ધર્મ સભા, દરબારમાં ચમત્કારો અને વિવાદાસ્પદ નિવેદનોથી ધિરેન્દ્ર શાસ્ત્રી ચર્ચામાં રહ્યા છે. સનાતન ધર્મના પ્રવચન અને દરબારમાં ચમત્કાર કરવાના દાવાથી દેશભરમાં ધિરેન્દ્ર શાસ્ત્રી ઘણા પ્રખ્યાત થયા છે. તાજેતરમાં જ ધિરેન્દ્ર શાસ્ત્રીએ દરબારમાં ચમત્કાર અને વિવાદાસ્પદ નિવેદનોને કારણે વિવાદનો સામનો પણ કરવો પડ્યો છે.
ધિરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવી રહ્યા છે ત્યારે તેઓ ‘દરબાર’ યોજશે કે કેમ તેને લઇ ચર્ચા શરૂ થઈ છે. આ અંગે વિતગવાર માહિતી આપતા શિવકૃપા મિત્ર મંડળના પ્રમુખ કમલાકર સિંહે જણાવ્યું કે, ”અમદાવાદમાં વટવા ખાતે 17 મેથી 25 મે, 2023 દરમિયાન શ્રી શિવમહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ શિવમહાપુરાણ કથાના વાચક દેવકી નંદન ઠાકુર છે.

આ ધાર્મિક કાર્યક્રમના પૂર્ણાહુતિના છેલ્લા દિવસ 25 મે, 2023ના રોજ બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધિરેન્દ્ર શાસ્ત્રી મહારાજ આવી રહ્યા છે. જો કે આ દિવસે ધિરેન્દ્ર શાસ્ત્રી સનાતન સભા કરશે કે દરબારનું આયોજન થશે તે અંગે હાલ કોઇ વિગત પ્રાપ્ત થઇ નથી.”

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત