Team Chabuk-Gujarat Desk: ગીરના સિંહો હવે વિદેશના ઝુમાં પણ જોવા મળે છે ત્યારે યુરોપિયન એસોસિએટ ઓફ ઝુ એન્ડ એક્વેરિયા તથા ઈરાન ઝુએ એશિયાટીક સિંહોની કેટલીક જોડીઓ માટે ભારતીય સત્તાવાળાઓનો સંપર્ક સાધ્યો છે. આમ, એશિયાટીક સિહોની નસલનું બ્રીડિંગ કરતા સક્કરબાગ ઝુની વધુ એક સફળતામાં ઉમેરો થયો છે.
એશિયાટિક સિંહોનું ઘર એટલે કે ગીર પંથક.. તેમાં પણ એશિયાટિક સિંહોનું સફળ બ્રિડિંગ સેન્ટર અને એશિયાનું નંબર વન બ્રિડિંગ સેન્ટર ગણાતું જૂનાગઢનું સક્કરબાગ ઝુની યશકલગીમાં ઉમેરો થયો છે. પ્રાણીઓના એક્સચેન્જ કાર્યક્રમ અંતર્ગત ઈરાન ઝુ સંચાલકોએ જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના સત્તાવાળાઓનો સંપર્ક કરી એશિયાટીક સિહોની જોડીઓ માગી છે. હાલ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની પરવાનગી આવવાની બાકી છે. હવે જૂનાગઢ સકરબાગના સિહો હવાઈ સફર બાદ ઈરાન પહોંચશે અને એશિયાટિક સિંહોનું ગૌરવ વધારશે.

એશિયાનું નંબર વન ગણાતું સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય બ્રિડિંગ સેન્ટર ખુબ જ અગત્યનું છે. અત્યાર સુધીમાં સક્કરબાગ ઝૂમાંથી 84 જેટલા બાળસિંહનો જન્મ થયો છે. જો તંત્રના ખાસ પ્રયત્નોના કારણે સિંહબાળના જન્મની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. અત્યાર સુધીમાં ભારતે વિશ્વના પ્રાણીસંગ્રહાલયમાં 21 સિંહો આપ્યા છે. બદલામાં અલગ અલગ પશુ પક્ષીઓ પણ રાજ્યના અનેક ઝૂમાં આપ્યા છે. આમ, જૂનાગઢ સક્કરબાગ બ્રિડિંગ સેન્ટર દુનિયામાં ખૂબ જ અગત્યનું સ્થાન બનતું જઈ રહ્યું છે. સિંહો માટેના આ બ્રિડિંગ સેન્ટરમાં અન્ય પશુ-પક્ષીઓના પણ બ્રિડિંગ કાર્યક્રમ ચાલી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત