Team Chabuk-Gujarat Desk: સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને અમરેલીના આકાશમાં ભેદી પદાર્થ જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. ગીર સોમનાથના ઊનાના ધોકડવા, પડાપાદર અને તડ ચેકપોસ્ટ નજીક આકશમાં એક સાથે 40-50 તારાઓની ચમકતી હારમાળા જોવા મળી હતી જેને લઈને લોકોના ટોળા એકઠાં થયા હતા.
સૌરાષ્ટ્રના આકાશમાં જોવા મળ્યો ભેદી અવકાશી પદાર્થ#UFO #saurastra #gujarat pic.twitter.com/qQI8BShubP
— thechabuk (@thechabuk) June 18, 2022
તો આ તરફ અમરેલી જિલ્લાના દરિયા કાંઠાં વિસ્તાર તેમજ જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. જાફરાબાદના લોર, કડિયાળી, વઢેરા સહિતના ગામોમાં ચળકતી લાઈટથી વિવિધ ચર્ચાઓ વહેતી થઈ હતી. આ ઉપરાંત જૂનાગઢના કેશોદમાં પણ એક સાથે 40થી વધુ તારાઓની હારમાળા જોવા મળી હતી. જેને લઈને કોઈએ એલિયન હોવાનો દાવો કર્યો તો કોઈએ અવકાશી ઘટના ગણાવી.
જો કે, આ મુદ્દે વૈજ્ઞાનિકો માની રહ્યા છે કે, આકાશમાં તરતી ટ્રેન જેવા આ દ્રશ્યો કોઈ અવકાશી ઘટના નથી પરંતુ સ્પેસ એક્સ કંપનીનો એક પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ટ્રેનના ડબ્બાની જેમ એક સાથે 40-50 સેટેલાઈટ છોડવામાં આવે છે. જે ઈન્ટરનેટની સ્પીડ વધારવા માટે કામ કરે છે. થોડા સમય પહેલાં આવી જ એક ઘટના અમેરિકાના આકાશમાં પણ જોવા મળી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત