Homeગુર્જર નગરીજૂનાગઢઃ આયુર્વેદિક પીણાના નામે નશાયુક્ત પીણાનો વેપાર, દુકાનને બનાવી દીધી બીયર બાર

જૂનાગઢઃ આયુર્વેદિક પીણાના નામે નશાયુક્ત પીણાનો વેપાર, દુકાનને બનાવી દીધી બીયર બાર

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ જિલ્લામાં આયુર્વેદિક પીણાના નામે નશાયુક્ત પીણાનો વેપાર ચાલતો હોવાનું સામે આવ્યું છે. આયુર્વેદિક પીણાના નામે ગેર કાયદેસર નશાયુક્ત પીણું પાનની દુકાને અથવા હર્બલ શોપમાં વેચાઈ રહ્યાની પોલીસને માહિતી મળી હતી આ મામલે જૂનાગઢ S.O.G પોલીસે જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના, ચોરવાડ અને વંથલીમાંથી અંદાજીત 1,200  બોટલો સીઝ કરી હતી અને પીણું વેચનારની અટકાયત કરી હતી. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પાનની દુકાનોમાં આ પ્રકારના પીણા મળતાં હોવાનું પણ જાણવા મળ્યું છે.

ગઈકાલે મોડી રાત્રે જૂનાગઢના પોશ વિસ્તાર એવા ઝાંઝરડા રોડ પર આવેલી કૈલાસ હર્બલ નામની દુકાનમાં SOG પોલીસે તપાસ હાથ ધરી હતી. દુકાનમાં બીયર બારની માફક ટેબલ ખુરશી પર નશો કરતા આઠ યુવાનો ઝડપાયા હતા. દુકાન માલિક દ્વારા ગ્રાહકોને નાસ્તાથી લઈ તમામ સુવિધાઓ આપવામાં આવતી હતી. પોલીસે દુકાનમાં રહેલા ફ્રીઝની તપાસ કરતા નશાયુકત ગેરકાયદેસર 300થી વઘુ બોટલો મળી આવી હતી. પોલીસે તમામ બોટલો સીઝ કરી દુકાનદાર તેમજ તેના મેનેજરની અટકાયત કરી લીધી છે.

જૂનાગઢ S.O.Gના P.S.I. એ. એમ ગોહિલ અને તેમની ટીમે જિલ્લામાં અનેક જગ્યાએ દરોડા પાડી અંદાજીત બે હજાર જેટલી બોટલો જપ્ત કરી ત્રણ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. પોલીસ તરફથી સીઝ કરાયેલા બોટલોના સેમ્પલ સ્ટેટ ડ્રગ્સ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આયુર્વેદિક પીણાના નામે આ ગોરખધંધો કેટલા સમયથી ચાલતો હતો અને આ પીણાના ઉત્પાદન અને ડીલર સામે આવતા દિવસોમાં તપાસ કરવામાં આવશે તો આ કેસમાં મોટો પર્દાફાશ થાય તેવું લાગી રહ્યું છે. જોકે, પોલીસ કેવી કાર્યવાહી કરે છે તે જોવું મહત્ત્વનું બની રહેશે. સૌરાષ્ટ્રના અનેક ગામોમાં આવા પીણા મળી રહ્યાનું પણ કહેવાઈ રહ્યું છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments