Homeગુર્જર નગરીજૂનાગઢઃ ચાર દિવસથી ગુમ 15 વર્ષીય મનનની લાશ નરસિંહ મહેતા સરોવરમાંથી મળી...

જૂનાગઢઃ ચાર દિવસથી ગુમ 15 વર્ષીય મનનની લાશ નરસિંહ મહેતા સરોવરમાંથી મળી આવી

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં છેલ્લા ચાર દિવસથી ગુમ શાળા સંચાલકના પૌત્રની લાશ નરસિંહ મહેતા સરોવરમાંથી મળી આવી છે. ગત 9 જુલાઈના રોજ ગુમ થયેલો 14 વર્ષીય મનન મૃત હાલતમાં નરસિંહ મહેતા સરોવરમાંથી મળતાં પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું છે. NDRF ની ટીમ દ્વારા સતત થયેલી શોધખોળ બાદ ગુમ થયેલો મનન મૃત હાલતમાં આજે સવારે 9 વાગ્યાની આસપાસ નરસિંહ સરોવરમાંથી મળી આવ્યો છે.

9 જુલાઈના રોજ મનન સાયકલ સાથે ગુમ થયો હતો. જો કે મનની સાયકલ ગઈકાલે નરસિંહ મહેતા સરોવરમાંથી મળી આવી હતી. ત્યારબાદ આજે સવારે મનનો મૃતદેહ પણ NDRFની ટીમે સરોવરમાંથી શોધી કાઢ્યો હતો. મૃતદેહ મળ્યા બાદ ફાયર અને પોલીસ વિભાગ દ્વારા મનનના પરિવારને ઘટના સ્થળે બોલાવ્યો હતો. મનના મૃતદેહને જોઈને પરિવાર ભાંગી પડ્યો હતો. મનન જોષીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો અને ઘટના કેવી રીતે બની તે અંગે પોલીસે તપાસ આગળ વધારી છે.

મહત્વનું છે કે, જૂનાગઢની જલારામ સોસાયટી પાછળ રિદ્ધી ટાવરમાં રહેતા દિપેશભાઈ દિલીપભાઈ જોષીનો 15 વર્ષીય પુત્ર મનન ગત તા. 9 જુલાઈ 2022 ની રાત્રે ગુમ થયા બાદ તેનો મોબાઈલ શહીદ પાર્ક નજીક કચરા ટોપલી પર મૂકેલો મળી આવ્યો હતો. ત્યારબાદ તેના પિતાએ પુત્રના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જો કે આ ઘટના કેમ બની તે અંગે તપાસ ચાલી રહી છે. અપહરણની શંકાને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે અને હાલ સીસીટીવી તપાસી રહી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments