Homeગુર્જર નગરીનવરાત્રિમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર, 12 વાગ્યા બાદ પણ ગરબે રમી શકાશે,...

નવરાત્રિમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર, 12 વાગ્યા બાદ પણ ગરબે રમી શકાશે, પોલીસ નહીં રોકે

હાલ ગુજરાતમાં નવરાત્રિ ચાલી રહી છે ત્યારે નવરાત્રિમાં ખેલૈયાઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. હવે નવરાત્રિમાં રાત્રે ગમે તેટલા વાગ્યા સુધી ગરબે રમી શકાશે. 12 વાગ્યા બાદ પણ પોલીસ ગરબા બંધ કરાવવા નહીં આવે. આ અંગે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

આ અંગે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. નવરાત્રિમાં પોલીસ હવે રાસ ગરબાની બંધ નહીં કરાવે. હવે પોલીસ રાતે ગરબા બંધ નહી કરાવે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તમામ જિલ્લા પોલીસ વડા સાથે વીડિયો કોન્ફરન્સ કરીને આ સૂચના આપી છે. હવે રાતે 12 વાગ્યા બાદ ગરબા બંધ કરાવવા માટે પોલીસ નહી જાય.

navratri

મહત્વનું છે કે, નવરાત્રિ પહેલા પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડીને 12ના ટકોરે રાસ-ગરબા બંધ કરી દેવા સૂચના આપી હતી. પરંતુ હવે રાજ્ય સરકારે 12 વાગ્યા બાદ પણ રાસ-ગરબાની મંજૂરી આપતા નવરાત્રિ આયોજકો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments