Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું વોટિંગ થઈ રહ્યું છે. આ તમામની વચ્ચે વડાપ્રધાન મોદીએ રાજ્યના બીજા તબક્કા માટે ચૂંટણી રેલી કરી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદી રાજ્યમાં બીજા તબક્કા માટે ચૂંટણી રેલી કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યમાં બીજા તબક્કા માટે ચૂંટણી રેલી કરી રહ્યા છે. તેમણે પંચમહાલના કાલોલ એક જાહેર સભાને સંબોધી હતી. પીએમ મોદીએ કહ્યું કે 2014 પહેલા કોઈએ વિચાર્યું નહોતું કે ભારત મોબાઈલ ફોનમાં આટલી ક્રાંતિ લાવશે. 2014માં જ્યારે તમે મને દિલ્હી મોકલ્યો ત્યારે મોબાઈલ ફોન બનાવવાની બે ફેક્ટરીઓ હતી, આજે 200થી વધુ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલોલમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું. દરમિયાન તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના રાવણવાળા નિવેદન પર જવાબ આપ્યો છે. પીએમ મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના રાવણ વાળા નિવેદન પર વિપક્ષને ટાર્ગેટ કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીને તો રામસેતુથી પણ નફરત છે. કોંગ્રેસમાં પીએમ પદને નીચા દેખાડવા માટે કંપીટિશન ચાલી રહી છે કે કોણ સૌથી વધારે ગાળો આપી શકે છે. મને ગાળો આપવા માટે રામાયણમાંથી રાવણને લઈ આવ્યા. એક રામભક્તને રાવણ કહેવું ખોટી વાત છે. તેમણે કહ્યું કે, લોકો જેટલો કાદવ ઉછાળશે, એટલું જ કમળ ખિલશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત