Team Chabuk-Gujarat Desk: તાલાલામાં વન વિભાગના નિવૃત્ત કર્મીએ પોતાની બંદૂકમાંથી છાતીમા ગોળી મારી આત્મહત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. આંબળાશ ગામે રહેતા 68 વર્ષના અબ્દુલભાઈ એ આત્મહત્યા કરી લીધી છે. પોતાની લાઈસન્સ વાળી બંદુકથી છાતીના ભાગે ગોળી મારી આપઘાત કર્યો હતો. અબ્દુલભાઈ વર્ષ 2011માં નિવૃત્ત થયા હતા, તેમની પાસેથી સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં છ લોકોના નામ છે. વર્ષ 2013માં અબ્દુલભાઈએ વ્યાજે રૂપિયા લીધા હતા. જે ચુકવી દીધા બાદ પણ વ્યાજખોરો ધાકધમકી આપતા હતા. સુસાઈટ નોટના આધારે પોલીસે આરોપી નારાણ સોલંકીની અટકાયત કરી છે.
પોલીસ ફરિયાદ પ્રમાણે મૃતક અબ્દુલ બ્લોચ જે છ નામ લખ્યા છે તેમાં નારણ સોલંકી નામનો ઉલેખ કરાયો છે. નારણ સોલંકી અને તેનો સગો ભાઈ આત્મહત્યા પાછળ કારણ ભૂત હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃતકની સુસાઈડ નોટ મુજબ નારણ સોલકી પાસેથી ભૂતકાળમાં 4 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેના 13 લાખ રૂપિયા ચૂકવી દીધા એટલું જ નહિ મકાન અને બે બુલેટ પણ નારાણ સોલંકી પડાવી લીધાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
હાલ તાલાલા પોલીસે આરોપી નારણ સોલંકીને દબોચી અટકાયત કરી લીધી છે. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત