Team Chabuk-Gujarat Desk: આવતીકાલે તારીખ 13 જુલાઈ થી 17 જુલાઈ સુધી હવામાનને લઈને હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી- તરઘડીયા દ્વારા 13 જુલાઈ થી 17 જુલાઈ સુધી રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, જામનગર જિલ્લામાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લો
રાજકોટ જિલ્લામાં આવતીકાલ 13 જુલાઈ થી 17 જુલાઈ સુધી છુટાછવાયા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. જેમાં 13, 14 અને 15 જુલાઈના રોજ 4-4 મીમી વરસાદ જ્યારે 16 જુલાઈએ 8 મીમી અને 17 જુલાઈએ 19 મીમી વરસાદ પડવાની આગાહી કરાઈ છે.
મોરબી જિલ્લો
મોરબી જિલ્લામાં પણ આગામી પાંચ દિવસ હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેમાં 13 જુલાઈના રોજ 2 મીમી, 14 થી 16 જુલાઈ સુધી 3-3 મીમી અને 17 જુલાઈના રોજ 15 મીમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 13 જુલાઈના રોજ 5 મીમી, 14 જુલાઈના રોજ 4 મીમી, 15 જુલાઈના રોજ 3 મીમી, 16 જુલાઈના રોજ 4 મીમી અને 17 જુલાઈના રોજ 17 મીમી વરસાદ પડી શકે છે.
સુરેન્દ્રનગર જિલ્લો
સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે 13 જુલાઈના રોજ 2 મીમી, 14 જુલાઈના રોજ 3 મીમી, 15 જુલાઈના રોજ 4 મીમી, 16 જુલાઈના રોજ 7 મીમી અને 17 જુલાઈના રોજ 22 મીમી વરસાદ પડી શકે છે.

અમરેલી જિલ્લો
અમરેલી જિલ્લામાં આવતીકાલે સારો વરસાદ વરસશે તેવી આગાહી કરાઈ છે. આવતીકાલે 13 જુલાઈના રોજ અમરેલી જિલ્લામાં 64 મીમી એટલે કે અઢી ઈંચ જેટલો વરસાદ પડવાની શક્યતા છે. 14 જુલાઈના રોજ 8 મીમી, 15 જુલાઈના રોજ 4 મીમી, 16 જુલાઈના રોજ 25 મીમી એટલે કે એક ઈંચ અને 17 જુલાઈના રોજ 125 મીમી એટલે કે 5 ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. આમ અમરેલી જિલ્લામાં 17 જુલાઈના રોજ છુટાછવાયા વિસ્તારમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે.
જામનગર જિલ્લો
જામનગર જિલ્લામાં 13 અને 14 અને 16 જુલાઈના રોજ 5 મીમી, 15 જુલાઈના રોજ 4 મીમી અને 17 જુલાઈના રોજ 20 મીમી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર