Team Chabuk-Gujarat Desk: સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર યુનિવર્સિટી પાસે બે પિતરાઈ બહેનનાં મૃતદેહ લટકેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, બંને પિતરાઈ બહેનોનો દુલ્હનની જેમ શણગાર કરેલો હતો. દુલ્હનની જેમ શણગાર કરીને બંનેએ આત્મહત્યા કર્યાનો દાવો છે.
અલથાણ વિસ્તારમાં ઝાડી ઝાંખરામાંથી બે યુવતીના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. બંને યુવતીના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, બંને બહેનોના હાથ પર બ્લેડના ઘા મારવામાં આવ્યા છે, એટલે કે પહેલાં બ્લેડથી આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બંને બહેનોના મૃતદેહ પરથી એવું લાગી રહ્યું છે કે કોઈ મેરેજ માટે સજીધજી હોય. બંને બહેનો નીલમ વર્મા અને રોશની વર્મા મૂળ મધ્ય પ્રદેશની છે અને સુરતમાં છૂટક કામ કરી પરિવારને આર્થિક રીતે મદદ રૂપ થાય છે.
પ્રેમ પ્રકરણમાં બંને બહેનોએ આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બંને બહેનોને લવ મેરેજ કરવા માંગતી હતી અને યુવકો સાથે ભાગી જવાની ફિરાકમાં હતી. પ્રેમીઓએ ભાગી જવાની ના પાડતા બંને બહેનો ભાંગી પડી હતી અને અવાવરું જગ્યા પર ઝાડ સાથે ફાંસો ખાઇ આપઘાત કર્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા