Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ફુલગ્રામ ગામે ત્રિપલ મર્ડરની ઘટના બની છે. મર્ડરની ઘટનાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. એક જ પરિવારના ત્રણ લોકોની હત્યા થયાનું જાણવા મળ્યું છે. સમગ્ર બનાવની વિગતો જોઈએ તો ફુલગ્રામ ગામે રહેતા હમીરભાઈ કેહરભાઈ મેમકીયાને ગામમાં જ રહેતા ભગાભાઈ નાગજીભાઈ સાથે રસ્તે ચાલવા જેવી બાબતે માથાકુટ થઈ હતી અને આ ઘટનાએ આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
રસ્તે ચાલવા જેવી નજીવી બાબતે લોહીયાળ જંગ ખેલાયો હતો. જેમાં હમીરભાઈ મેમકીયા, તેમના પુત્ર અને પુત્રવધુની હત્યા નિપજાવવામાં આવી હતી. સમગ્ર બનાવને પગલે ગામમાં સોપો પડી ગયો છે.
ત્રિપલ મર્ડરના બનાવના પગલે જોરાવરનગર પોલીસ, જિલ્લા એલસીબીની ટીમ, એસઓજીની ટીમો, સુરેન્દ્રનગર જિલ્લા એસપી, ડીવાયએસપી, પીઆઇ સહિતના અધિકારીઓ અને પોલીસ કાફલો ફુલગ્રામ ગામે દોડી ગયો હતો. મૃતદેહોનો કબજો લઈને હોસ્પિટલમાં ખસેડાયા છે. કેટલાક લોકોને ઇજા થયાનું પણ જાણવા મળી રહ્યું છે. આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
