Homeગુર્જર નગરીચરાડવાના મહાકાળી મંદિરના 133 વર્ષના દયાનંદગીરી બાપુએ દેહ ત્યાગ કર્યો

ચરાડવાના મહાકાળી મંદિરના 133 વર્ષના દયાનંદગીરી બાપુએ દેહ ત્યાગ કર્યો

Team Chabuk-Gujarat Desk: મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલા સુપ્રસિદ્ધ મહાકાળી માતાજી મંદિરના મહંત પૂજ્ય દયાનંદગીરી બાપુએ આજે તારીખ 23 મે 2025ના રોજ દેહ ત્યાગ કર્યો છે. આજે વહેલી સવારે 5-30 કલાકે દયાનંદગીરી બાપુ બ્રહ્મલીન થયા છે. દયાનંદગીરી બાપુ બ્રહ્મલીન થતાં સમગ્ર પંથકમાં અને તેમના અનુયાયીઓમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.

Dayanandgiri bapu

મહત્વનું છે કે, ચરાડવા મહાકાળી માતાજી મંદિરના મહંત પૂજ્ય દયાનંદગીરી બાપુ 133 વર્ષના હતા. 133 વર્ષે તેમણે દેહત્યાગ કર્યો છે. તેમનો જન્મ 4-11-1892 કાર્તિક સુદ પૂનમના રોજ થયો હતો. તેઓનો ખૂબ મોટો સેવક વર્ગ હતો. 133 વર્ષ સુધી તેમણે ધર્મની રક્ષા કાજે અનેક સેવાકાર્યો કર્યા. તેમની દેખરેખ હેઠળ મહાકાળી માતાજીના મંદિરે પક્ષીઓનો કલરવ સંભળાય છે અને ગૌશાળા પણ આવેલી છે. અનેક મહાનુભાવો પણ આ મંદિરે આવી બાપુના આશીર્વાદ મેળવી ચુક્યા છે. ત્યારે આજે તેમના દેહત્યાગથી સેવકોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. આજે બ્રહ્મલીન થયેલા બાપુનો પાર્થિવ દેહ મહાકાળી માતાજી મંદિરથી ચરાડવા નગરમાં 11-30 કલાકે પાલખીમાં અંતિમ દર્શન માટે નીકળશે. ત્યારબાદ સાંજે 5 વાગ્યે બાપુને સમાધિ આપવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments