Team Chabuk-Gujarat Desk: બનાસકાંઠા જિલ્લાના સુઇગામના ઉચોસણ ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. તળાવમાં ન્હાવા પડેલ ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. બે સગી બહેનો તેમજ એક કૌટુંબિક ભાઈનું તાળવમાં ડૂબી જતા મોત થયું છે. ત્રણ બાળકો ડૂબી જવાથી મોત થતા તેમના વાલીને જાણ કરવામાં આવી છે. એક જ સમાજના ત્રણ બાળકોના મોત નિપજતાં ગામમાં માતમ છવાયો છે.

20 વર્ષીય યુવકે ટ્રેક નજીક મુક્યુ બાઈક, ટ્રેન નીચે ઝંપલાવી કરી આત્મહત્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક આશાસ્પદ યુવાને જીવ ટુંકાવી લીધો. ટ્રેન નીચે પડતું મુકી એક યુવકે આત્મહત્યા કરી લીધી. જેનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે.
મળતી માહિતી મુજબ જિલ્લાના થાન શહેરમાં એક ગોજારી ઘટના બની છે. અહીં ટ્રેન નીચે પડતું મૂકી એક યુવાને આત્મહત્યા કરી લીધી છે. મૃતક યુવાનનું નામ અંકિત મનસુખભાઈ સોલંકી હોવાનું સામે આવ્યું છે. 20 વર્ષીય અંકિતે આત્મહત્યા કર્યા બાદ પોલીસ દોડતી થઈ હતી. જો કે, યુવકની આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી.
અગમ્ય કારણોસર અંકિત સોલંકીએ મુંબઈથી હાપા ટ્રેન નીચે ઝંપલાવી મોત વ્હાલુ કરી લીધું હતું. આત્મહત્યા કરતા પહેલાં અંકિતે પોતાનું બાઈક ટ્રેક પાસે મુક્યું હતું. જે બાદ અંતિમ પગલું ભર્યું હતું. રેલવે ટ્રેક નજીકથી યુવકનું બાઈક મળ્યું છે.
બીજી તરફ યુવકના પરિવાર અંગે સામે આવેલી વિગતો અનુસાર મૃતક અંકિતના માતા પિતા ન હોવાથી પોતાના દાદી સાથે રહેતો હતો. થાનના મોટા તળાવ વિસ્તારમાં અંકિત રહેતો હોવાનો અહેવાલ છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલી વધુ તપાસ શરૂ કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત