Team Chabuk-Entertainment Desk: સુશાંતસિંહ રાજપુતના નિધનને 3 વર્ષ પૂરા થયા. આજે સોશિયલ મીડિયા પર સુશાંતના ફેન્સે દુઃખ વ્યક્ત કર્યું. સોશિયલ મીડિયા પર સુશાંત સિંહના ફોટા અપલોડ કરી લોકોએ સુશાંતને યાદ કર્યો. 14 જૂન 2020. આ એ જ દિવસ હતો જ્યારે સુશાંસના મોતના સમાચાર આવ્યા. કોઇને વિશ્વાસ નહતો થતો કે સુશાંતનું અચાનક નિધન થઈ શકે. સુશાંત સિંહ રાજપૂત બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં રહસ્યમય પરિસ્થિતિમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો.
કહેવાઈ રહ્યું છે કે, સુશાંતે આત્મહત્યા કર્યુ છે. પરંતુ સુશાંતના પરિવાર અને ફેન્સનો દાવો છે કે તેણે આત્મહત્યા નથી કરી પરંતુ તેની હત્યા થઈ છે. સુશાંતનો પરિવાર અને ફેન્સ આજે પણ એક્ટરને ન્યાય મળે તે માટે રાહ જોઇ રહ્યાં છે. કોઇપણ વ્યક્તિ તે માનવા તૈયાર નથી કે સુશાંત આત્મહ્યા જેવું પગલું ભરી શકે
સુશાંત સિંહની બહેન શ્વેતા સિંહે ઇન્સ્ટાગ્રામ પર સુશાંત સાથે તેના મેસેજ અને નોટ્સ શેયર કરી છે. આ સાથે તેને કેપ્શનમાં લખ્યું કે, “લવ યૂ ભાઇ, તમારી બુદ્ધિમતાને સલામ. મને દરેક ક્ષણ તમારી યાદ આવે છે. પરંતુ મને ખબર છે કે હવે તું મારો હિસ્સો છે. તું મારી શ્વાસની જેમ જરૂરી બની ગયો છે. તેના દ્વારા અપાયેલા અમુક નુક્કડોને શેર કરી રહી છું. આવો આપણે તેના બનીને રહીએ.
નેહા કુમારી નામની એક યૂઝરે પણ સુશાંતની એક તસવીર શેર કરીને લખ્યું, સુપ્રભાત પ્રિય મિત્રો. આપણા બધા માટે આ દિવસ કાળો છે. કૃપા કરીને સૌના પ્રિય એવા સુશાંત સિંહ રાજપૂત માટે ટ્વીટ કે રિટ્વીટ કરતા રહીએ. સુશાંત સાથે અન્યાયના ત્રણ વર્ષ.
જ્યારે પિયાલી નામની એક યૂઝરે લખ્યું, સુશાંત સાથે અન્યાયના ત્રણ વર્ષ. લોકતંત્ર માટે કાળો દિવસ. જ્યાં આ ત્રણ વર્ષ દરમિયાન અધિકારીઓ, એજન્સીઓ દ્વારા લોકોના અવાજને નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે,શર્મનાક. અમે ક્યારેય ભૂલીશું નહીં, ક્યારેય માફ નહીં કરીએ. સુશાંતને ન્યાય અપાવવા માટે વધુ જોરથી દહાડીશું.
3years Of Injustice To Sushant 💔
— PIYALI (@PiyaliBh) June 13, 2023
A Black day of Democracy.. Where people’s voice are being ignored by Authorities, Agencies during all these 3 long years..
Utter shameful..!
We will Never forget, Never forgive,
will roar more louder For Justice For Sushant Singh Rajput ✊🏼… pic.twitter.com/oNz7pFhVwS
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત