Team Chabuk-Gujarat Desk: સુરતમાં એક જ પરિવારના સાત લોકોએ સામૂહિક આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. સુરતના પાલનપુર પાટીયા વિસ્તારમાં આવેલા નૂતન રો-હાઉસની સામે આવેલા સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારના 7 લોકોએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લીધું છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, સુરતના પાલનપુર પાટીયા વિસ્તારમાં નૂતન રો હાઉસની સામે આવેલા સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા મનીષ સોલંકીની ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે. શાંતુભાઈ ઈન્ટીરીયર ડિઝાઈનરનું કામ કરતા હતા. ઘરમાંથી તેમના ત્રણ બાળકો, પત્ની અને વૃદ્ધ માતા-પિતાનું પણ ઝેરી પ્રવાહી પીવાના કારણે મોતની આશંકા છે. પ્રાથમિક દ્રષ્ટિએ પરિવારે આત્મહત્યા કર્યો હોવાનું લાગી રહ્યું છે.

બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરત પોલીસે જણાવ્યું કે, હાલ અમારી તપાસ ચાલી રહી છે. અમને આત્મહત્યા સ્થળથી એક ચિઠ્ઠી મળી આવી છે. જેમાં આર્થિક ભીંસમાં આવીને આત્મહત્યા કરી હોય તેવુ લાગી રહ્યું છે. પરિવારના મોભી ફર્નિચર બનાવવાના કામ સાથે જોડાયેલા હતા. તેમના માથા પર દેવુ હતું, જેને કારણે આર્થિક ભીંસમાં આવી જતા તેમણે આત્મહત્યા કરી લીધી હોવાનું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી. પરંતુ રૂપિયા ચૂકવવામાં અસક્ષમ પરિવારના મોભીએ આ પગલુ ભર્યુ હતું.
આત્મહત્યા કરનાર પરિવારજનો
પિતા કનુભાઈ સોલંકી
માતા શોભનાબેન સોલંકી
પતિ મનીષ સોલંકી
પત્ની રીટા સોલંકી
દીકરી દિક્ષા અને કાવ્યા
દીકરો કુશલ
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
