શૈલેષ નાઘેરાઃ ગીર સોમનાથના કોડીનારથી 12 કિલોમીટર દૂર આવેલા જંત્રાખડી ગામે 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યા નિપજાવવાના મામલે એક વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે. ગીર સોમનાથ જિલ્લાના જંત્રાખડી ગામે માનવતાને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. નાનકડા એવા ગામમાં માત્ર 9 વર્ષની બાળા પર ગામના જ એક નરાધમે દુષ્કર્મ ગુજારી માસૂમ દીકરીને મોત ને ઘાટ ઉતારતા હાહાકાર મચી ગયો છે. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરીને એકની અટકાયત કરી લીધી છે.
નાનકડા એવા ગામમાં આ પ્રકારની ઘટનાને પગલે તાલુકા અને શહેરભરમાં પડઘા પડ્યા છે. રવિવાર બપોરની ઘટનાને લઈ મોડી રાત્રે જંત્રાખડી ગામ આખું ભેગું થયું હતું અને પોલીસ સમક્ષ આરોપીને ફાંસીના માંચડે ચડાવવા માંગ કરવામાં આવી છે. ખુદ આરોપી શખ્સના પરિવારના સભ્યોએ પણ ગીર સોમનાથ એસ.પી અને એ.એસ.પી. ને રજૂઆત કરી અને કહ્યું કે આરોપીને સખત સજા થવી જોઈએ.
સમગ્ર ઘટના પર નજર કરીએ તો 9 વર્ષની બાળકી જ્યારે શેરીમાં રમતી હતી. તે સમયે બે બાળકોનો પિતા નરાધમ શખ્સ બાળકીને બીડી લેવા દુકાને મોકલે છે અને બીડી લઈ પરત આવેલી બાળકીને ઘરમાં પુરી દુષ્કર્મ ગુજાર્યા બાદ તેને મોતને ઘાટ ઉતારે છે અને ત્યારબાદ લાશને કોથળામાં ભરી અવાવરું જગ્યાએ ફેંકી આવે છે. જોકે હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીની અટકાયત ગણતરીની કલાકમાં જ કરી લેવાઈ છે. જો કે ગીર સોમનાથ પોલીસ દ્વારા એફ.એસ.એલ સહિતની ટીમની મદદ લેવાઈ છે અને ઘટના સ્થળ એસ.પી, એ.એસ.પી. સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પરંતુ સમગ્ર હકીકત પોલીસની તપાસ બાદ બહાર આવશે કે બીજું કોઈ સાંમેલ છે કે નહી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
