Homeગુર્જર નગરીસુરેન્દ્રનગર : પીએસઆઈએ મહિલાને મહિલા પોલીસની હાજરી વિના પટ્ટા વડે માર માર્યાનો...

સુરેન્દ્રનગર : પીએસઆઈએ મહિલાને મહિલા પોલીસની હાજરી વિના પટ્ટા વડે માર માર્યાનો આરોપ

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના પાટડીમાં બે દિવસ પૂર્વે બનેલી આ ઘટનાએ સૌ લોકોને ત્રસ્ત કરી દીધા છે. અહીં પીએસઆઈએ એક મહિલાને મહિલા પોલીસની હાજરી વિના પોલીસ સ્ટેશને બોલાવી માર માર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. મહિલાને એટલો માર મારવામાં આવ્યો છે કે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.

આ ઘટના આજથી બરાબર બે દિવસ પહેલાની છે. બદલી થઈને આવેલા પીએસઆઈ જે.ડી.મીઠાપરા દશાપરમાં દારૂની રેડ પાડવા માટે ગયાં હતાં. જોકે જ્યાં રેડ પાડવા ગયા હતા ત્યાંથી તેમના હાથમાં કશું નહોતું આવ્યું. એ પછી પીએસઆઈએ ઘરની મહિલા લક્ષ્મીબેન દશરથભાઈ ઠાકોરને પોલીસ મથકે નિવેદનની નોંધણી કરવા માટે બોલાવ્યા હતા. હવે પીએસઆઈ પર આરોપ લાગ્યા છે કે તેમણે મહિલા પોલીસની હાજરી વિના જ મહિલાને નિર્દયતાપૂર્વક પટ્ટા વડે ફટકારી છે.

પીએસઆઈ સામે એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે તેમણે લોકોને ગાળો આપી હતી અને લક્ષ્મીબહેનના ઘર પાસે ગાડી ઊભી રાખી, ‘તારું નિવેદન લેવું છે પોલીસ સ્ટેશને આવી જા.’ આટલું કહી જતાં રહ્યા હતા.

આક્ષેપો થયા છે કે જે ઘડીએ લક્ષ્મીબહેન પોલીસની ચેમ્બરમાં દાખલ થયા ત્યારે પીએસઆઈએ તેમના પર હાથ ઉપાડ્યો હતો. બાદમાં મારા મારીનો અવાજ થતાં પીએસઆઈએ ઉશ્કેરાઈ જઈ મહિલાને પટ્ટા અને ધોકા વડે માર માર્યો હતો. જેમાં તેમના કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. બાદમાં માથામાં અને શરીરના ભાગમાં કેટલીક ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટના બન્યા બાદ રવિવારના રોજ ગુજરાત ઠાકોર સમાજના ઉપ પ્રમુખ રાજભા ઠાકોર સહિતના આગેવાનો મહિલાના ઘરે ઉમટી પડ્યા હતા. તેમણે જ્યાં સુધી જવાબદાર પોલીસ અધિકારીને તેના પદ પરથી નિલંબિત નહીં કરાય ત્યાં સુધી આગામી આંદોલન અને રણનીતિ ઘડવા અંગે કહ્યું હતું. મહિલાએ પણ પીએસઆઈ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવાની સાથે ડીએસપીને પણ રજૂઆત કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments