Team Chabuk-Gujarat Desk: ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજના પ્રભુત્વને ધ્યાને રાખીને પાટીદાર મુખ્યમંત્રીની વરણી થયા બાદ આજે એક મહત્વની બેઠક મળવા જઈ રહી છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આજે પાટીદાર સમાજના આગેવાનોની મહત્વની બેઠક મળવા જઈ રહી છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા જ પાટીદાર સમાજ સક્રિય થયો છે. જેને લઈને આજે સાંજે પાટીદાર સમાજની સંસ્થાઓના આગેવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આજે બેઠક કરશે.
મળતી માહિતી પ્રમાણે પાટીદાર મુખ્યમંત્રી બન્યા બાદ પાટીદાર સમાજની સંસ્થાઓના આગેવાનોમાં ભાજપ પાસે જે માગણી હતી તે સંતોષાઈ હોય તેવું લાગી રહ્યું છે. જેથી આજે પાટીદાર સમાજની ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના આગેવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરવા જઈ રહ્યા છે. આજે સાંજે 6 વાગ્યે પાટીદાર સમાજની ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના આગેવાનો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે ગાંધીનગર સ્થિત સીએમ હાઉસ ખાતે બેઠક મળશે.

આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એક વખત પાટીદાર સમાજના આગેવાનો એક મંચ પર જોવા મળશે. લેઉવા અને કડવા પાટીદાર સમાજના ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના આગેવાનો આ બેઠકમાં જોડાશે. બેઠકમાં પાટીદાર સમાજમાં અત્યાર સુધી મળેલી બેઠકોના સંદર્ભે વાતચીત થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. આ ઉપરાંત આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજને યોગ્ય પ્રભુત્વ મળે તે અંગે પણ ચર્ચાઓ થાય તેવી ચર્ચાઓ છે. એક પ્રકારે પાટીદાર મુખ્યમંત્રી બન્યા બાદ પાટીદાર સમાજની સંસ્થાઓના આગેવાનો ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા પાઠવવા માટે જતાં હોય તેવી પણ વાત સામે આવી છે.
બેઠકમાં આ આગેવાનો રહેશે ઉપસ્થિત
નરેશભાઈ પટેલ- શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ
મણીભાઈ (મમ્મી) પટેલ- ઊંઝા ઉમિયાધામ
બાબુ જમના પટેલ
જયરામ પટેલ- સિદસર ઉમિયાધામ
દિલીપ નેતા- ઊંઝા ઉમિયાધામ
વાસુદેવ પટેલ- સોલા ઉમિયા કેમ્પસ
રમેશભાઈ દુધવાળા- સોલા ઉમિયા કેમ્પસ
દિનેશભાઈ કુંભાણી- શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત