Homeગુર્જર નગરીગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લા પર મેઘરાજા ઓળઘોળ, તમામ તાલુકામાં વરસાદી માહોલ

ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લા પર મેઘરાજા ઓળઘોળ, તમામ તાલુકામાં વરસાદી માહોલ

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં ગુલાબ વાવાઝોડીની અસર વર્તાઈ રહી છે. મધ્યરાત્રિથી જ રાજ્યના મોટાભાગના જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુલાબ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર પંથકમાં પણ જોવા મળી રહી છે. જેના પગલે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તરફ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. બન્ને જિલ્લાના 15 તાલુકામાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળતાં એક થી દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં રહેલા મોટાભાગના ડેમ પણ વરસાદના કારણે ભરાય ગયા છે.

rps baby world

ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા ભાદરવા મહિનામાં અષાઢ મહિના જેવો માહોલ જામ્યો છે. મોડીરાતથી બન્ને જિલ્‍લાના તમામ 15 તાલુકામાં વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું આગમન થયું હતું.. મેઘરાજાએ ઘીમી પણ ઘીગી ધારે હેત વરસાવવાનું શરૂ કરેલ જે આજે સવારથી પણ અવિરત ચાલુ હતુ. અમુક તાલુકામાં ઘોઘમાર તો અમુકમાં ઝાપટારૂપી વરસાદ વરસી રહ્યો હતો. તો આજે સવારથી બન્ને જિલ્‍લાના આકાશમાં ઘટાટોપ વાદળોની સાથે વરસાદી મહોલ સર્જાયો હતો. સતત વરસી રહેલા ઘીમી ધારના વરસાદના પગલે વાતાવરણમાં ઢંડક પ્રસરી ગઈ છે.

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ (ગત રાત 2 વાગ્યાથી આજ સવારે 10 વાગ્યા સુધી)

જૂનાગઢ53 મી.મી.
કેશોદ22 મી.મી.
ભેસાણ59 મી.મી.
મેંદરડા52 મી.મી.
માંગરોળ33 મી.મી.
માણાવદર31 મી.મી
માળીયા હાટીના63 મી.મી.
વંથલી35 મી.મી.
વિસાવદર60 મી.મી.
વેરાવળ40 મી.મી.
સુત્રાપાડા35 મી.મી.
તાલાલા25 મી.મી.
કોડીનાર30 મી.મી.
ગીર ગઢડા62 મી.મી.
ઊના50 મી.મી.

બન્ને જિલ્‍લામાં છેલ્‍લા બે દિવસથી સતત ઘીમી ઘારે વરસી રહેલા વરસાદના પગલે મોટાભાગના જળાશયો, ડેમો ઓવરફલો થઈ ગયા હોવાથી મોટાભાગના ડેમોના એક-એક દરવાજા ખોલવા પડી રહ્યા છે. જયારે અનેક નદી-નાળાઓમાં ફરી નવા નીરની ધીંગી આવક શરૂ થતા બે કાંઠે વહેતી જોવા મળતી હતી. જૂનાગઢ જિલ્‍લામાં 10 ડેમો 100 ટકા ભરાય ગયા હોવાનું તંત્ર પાસેથી જાણવા મળ્યું છે. સતત વરસી રહેલા વરસાદના કારણ હવે ખેતરમાં રહેલા ઉભા પાકોને નુકસાન પહોચવાને લઈ ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.

rps baby world

ગુલાબ વાવાઝોડાની અસરના પગલે ભારે વરસાદની સાથે પવન ફૂંકાવાની પણ આગાહી છે. ત્યારે સલામતીના ભાગરૂપે વેરાવળ બંદર પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી માછીમારોને દરિયો ના ખેડવા માટે સાવચેત કરવામાં આવ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments