Team Chabuk-Sports Desk: ઋષભ પંતે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ના આઈપીએલના 41માં મેચમાં કેટલાક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. શારજાહમાં ડીસી અને કેકેઆર વચ્ચે યોજાયેલા મેચમાં પંતે એક વિકેટ કિપર તરીકે ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ત્રણ હજાર રન પૂર્ણ કર્યા છે. ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ત્રણ હજાર રન પૂર્ણ કરવાની સાથે સાથે તેણે દિલ્હી માટે પણ એક મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. પંત આઈપીએલમાં દિલ્હી માટે સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. હવે દિલ્હીના જ પૂર્વ ખેલાડી વીરેન્દ્ર સહેવાગથી તે આગળ નીકળી ગયો છે.

પંતના નામે હવે આઈપીએલમાં 2385 રન થઈ ગયા છે. આ પહેલા દિલ્હી તરફથી જ રમતા વીરેન્દ્ર સહેવાગના નામે 2382 રન હતા. આ લિસ્ટમાં ત્રીજા નંબર પર શ્રેયસ ઐય્યર છે. ઐય્યરે દિલ્હી માટે અત્યાર સુધીમાં 2291 રન બનાવ્યા છે. 1933 રનની સાથે શિખર ધવન ચોથા ક્રમાંકે છે અને 1456 રનની સાથે ડેવિડ વોર્નર પાંચમાં સ્થાન પર છે.

ઓવરઓલ ટી ટ્વેન્ટીની જો વાત કરવામાં આવે તો પંત પહેલા જ ત્રણ હજાર રન પૂર્ણ કરી ચૂક્યો છે. પણ તેમાંથી કેટલાક રન તેણે ફક્ત બેટ્સમેન તરીકે બનાવ્યા છે. વર્ષ 2017થી 2019ની વચ્ચે પંતે ટી ટ્વેન્ટી ઈન્ટરનેશનલની 12 મેચ એવી રમી છે કે તેમાં તે વિકેટ કિપરની ભૂમિકામાં નથી રહ્યો. ફક્ત બેટ્સમેન તરીકે પંતના નામે 213 રન બોલી રહ્યા છે.

વાત જો મેચની કરવામાં આવે તો, આ મેચમાં કેકેઆરએ પ્રથમ ટોસ જીતી દિલ્હીની ટીમને પહેલા બેટીંગ માટે આમંત્રિત કરી હતી. પીચ ધીમી હોવાના કારણે દિલ્હીની ટીમ 20 ઓવરમાં 127નો સામાન્ય સ્કોર જ બનાવી શકી હતી. પૃથ્વી શૉની જગ્યાએ ટીમમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને કેપ્ટન ઋષભ પંતે 39-39ની સહયારી પણ મહત્વની ઈનિંગ રમી હતી.

સામે કેકેઆરની ટીમને પણ સ્લો પીચના કારણે દિલ્હીની ટીમ જેવી જ અડચણો આડી આવી હતી. આમ છતાં સાતત્યપૂર્ણ પ્રદર્શનના સહારે કેકેઆરની ટીમે 19મી ઓવરમાં મેચ પોતાના નામે કરી લીધો હતો. કેકેઆરએ દિલ્હીને ત્રણ વિકેટથી પરાજય આપ્યો હતો. હવે કેકેઆરના અગિયાર મેચમાં દસ પોંઈન્ટ થઈ ગયા છે. પોંઈન્ટ ટેબલમાં કોલકાતા ચોથા સ્થાન પર છે. પ્રથમ સ્થાન પર ચૈન્નઈ સુપરકિંગ્સ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત