Team Chabuk-Gujarat Desk: રાજય સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી ચાલુ વર્ષ ડાંગરની સીઝનમાં ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં ડાંગરની ટેકાના ભાવે ખરીદીનો આજે લાભ પાંચમના શુભ દિવસથી જિલ્લાના તમામ તાલુકાના એપીએમસી ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
રાજય સરકાર દ્વારા આ અગાઉ જે ખેડૂતો ટેકાના ભાવે ડાંગરનું વેચાણ કરવા માંગતા હોય તેમના માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.આ ઓનલાઇન રજિસ્ટ્રેશન અંતર્ગત મહીસાગર જિલ્લાના છ તાલુકા પૈકી લુણાવાડા તાલુકાના 1891 ખેડૂતો, સંતરામપુર તાલુકાના 986 ખેડૂતો, કડાણા તાલુકાના 701 ખેડૂતો ખાનપુર તાલુકાના 474 ખેડૂતો બાલાસિનોર તાલુકાના 289 ખેડૂતો તેમજ વિરપુર તાલુકાના 235 ખેડૂતો મળી જિલ્લાના કુલ 4576 ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
રાજય સરકાર દ્વારા આજે લાભ પાંચમના દિવસથી સમગ્ર રાજયમાં ડાંગરની ટેકાના ભાવે ખરીદી કરવાનો પ્રારંભ કરવામાં આવતાં આજે લુણાવાડા એપીએમસી ખાતે ખેડૂતો પોતાની ડાંગર આપવા આવી પહોંચ્યા હતા. જયાં ખેડૂતોને ડાંગરનો ભાવ જયાં બજારમાં 20 કિલોના 300 રૂપિયા છે જ્યારે રાજ્ય સરકાર દ્વારા 388 રૂપિયાના ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી રહી છે.
આમ, ખેડૂતોને તેમની 30 કિલો ડાંગરના બજાર ભાવ કરતા 88 રૂપિયા વધુ મળી રહ્યા હોવાથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહેવાની સાથે ખેડૂતો સરકાર પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત