Team Chabuk-Gujarat Desk: થોડા સમય પહેલાં તસ્કરોએ ભચાઉના નાયબ પોલિસ અધિક્ષકના ઘરને નિશઆન બનાવ્યું હતું અને 4 લાખની ચોરીને અંજામ આપ્યો હતો. ભારે દોડધામ બાદ ચોરી કરનારા એક નેપાળી યુવાનને પોલીસે ઝડપી લીધો છે. જો કે, લાખોના મુદ્દામાલ સાથે હજુ 3 શખ્સો ફરાર છે. આ ઘટના બાદ કચ્છમાં સામાન્ય લોકોની સુરક્ષા પર સવાલો ઉઠ્યા છે કે, લોકો ચર્ચા કરી રહ્યા છે કે, જો પોલીસના ઉચ્ચ અધિકારીનુ ઘર જ સુરક્ષિત નથી તો સામાન્ય નાગરિકોનું શું ?
મળતી માહિતી મુજબ ગત 3-4 માર્ચે ભચાઉમાં DySP તરીકે ફરજ બજાવતા કિશોરસિંહ ધનશ્યામસિહ ઝાલાના ઘરમાં ચોરી થઈ હતી. જેની DySPએ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ ગ્રીલ તોડી ભગવાનની વિવિધ સોના-ચાંદીની મૂર્તિ તેમજ અન્ય વસ્તુઓ મળી કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી ફરાર થઈ ગયા હતા.
બીજી તરફ DySPના ઘરમાં ચોરીની ઘટનાને પગલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સહિત વિવિધ પોલિસની શાખાઓ પણ તપાસમા જોડાઇ હતી. આ કેસમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસે 1 શખ્સની ધરપકડ કરી હતી. આદિપુરમાં રહેતો ધિરેન્દ્ર જીતબહાદુર શાહી(ગુરખા) મૂળ નેપાળના શખ્સને ઝડપી લઈ પૂછપરછ કરી હતી. અને એક ધડિયાળ સહિત કુલ 12,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ કેસમાં નેપાળના જ રિતિક બલરૂપ જૈસી, નમરાજ શાહી(ગુરખા) તથા દિપેન્દ્ર શાહી ગુરખાની સંડોવણી ખુલી છે. જેને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલો આરોપી મુદ્દામાલ આ ત્રણ આરોપી પાસે હોવાનું રટણ રટી રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
