Homeગુર્જર નગરીગ્રીષ્મા હત્યા કેસમાં લેવાયો ઐતિહાસિક નિર્ણય

ગ્રીષ્મા હત્યા કેસમાં લેવાયો ઐતિહાસિક નિર્ણય

Team Chabuk-Gujarat Desk: સુરતના બહુચર્ચિત ગ્રીષ્મા હત્યા કેસમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. સુરતમાં પ્રથમ વખત ચાલુ ટ્રાયલે જ પીડિત પરિવારને 5 લાખનું વળતર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રીષ્મા હત્યા કેસની ટ્રાયલ દરમિયાન જિલ્લા સેવા સત્તામંડળ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. જેમાં દોઢ-દોઢ લાખ માતા પિતાને અને 1-1 લાખ ઇજા પામનારા ભાઇ-કાકાને અપાશે. સુરતના બહુચર્ચિત ગ્રીષ્મા હત્યા કેસમાં આ મહત્વનો નિર્ણય લેવાયો છે. 

આ કેસમાં ટ્રાયલ ચાલુ થાય તે પહેલા જ ગુજરાત પીડિત વળતર યોજના અંતર્ગત મદદ માટે અરજી કરવામાં આવી હતી. જેમાં બુધવારે જિલ્લા સેવા સત્તામંડળ દ્વારા ગ્રીષ્માના પરિજનોને 5 લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી.. સુરતમાં પહેલીવાર એવુ બન્યુ છે કે, કોઈ કેસની ચાલુ ટ્રાયલમાં વળતર આપવાની જાહેરાત થઈ છે. 

મહત્વનું છે કે, સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમી ફેનિલે જાહેરમાં ગ્રીષ્માની ગળુ કાપી હત્યા કરી હતી. કોર્ટમાં એક સાક્ષીએ જુબાનીમાં કહ્યું, ‘ફેનિલ ગ્રીષ્માને મારી નાંખવાની વાત કરતો હતો. અમને હતું કે તે મજાક કરે છે. હું એને સમજાવતી કે, ગ્રીષ્મા તારી તરફ જોતી નથી તો જવા દે, કેમ પાછળ પડ્યો છે.’

ફેનિલે જેલમાંથી સાક્ષી ક્રિષ્નાને ફોન કર્યો

તો બીજી તરફ, પોતાની તરફેણમાં જુબાની આપવા ફેનિલે જેલમાંથી ક્રિષ્ના નામની સાક્ષીને ફોન કર્યો હતો. તેણે બહેનને ફોન કરવાના નામે જેલતંત્રને વિનંતી કરી હતી. આમ, ફેનિલે જેલ તંત્રને પણ ઉઠા ભણાવ્યા હતા. ફેનિલે 5 રૂપિયા ફી ભરી લેન્ડલાઈન પરથી ફોન કર્યો હતો. ફેનિલે ક્રિષ્નાને ફોન કરીને કહ્યુ હતું કે, તું મારી ફેવરમાં જુબાની આપજે. ત્યારે આ અંગે સરકારી વકીલે કોર્ટમાં અરજી કરી છે. જેલ રજિસ્ટર મંગાવવા અને ફેનિલ સામે હક્ક દુરુપયોગ કરવા બદલ યોગ્ય પગલાં ભરવા માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, ક્રિષ્ના ફેનિલની કોલેજ કાળની માનેલી બહેન છે, જેને જેલમાંથી પોતાની તરફેણમાં જુબાની આપવા ફેનિલે ફોન કર્યો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments