Homeગુર્જર નગરીઊનાઃ સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનારા આરોપીને 10 વર્ષની સજા, 25 હજારનો...

ઊનાઃ સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનારા આરોપીને 10 વર્ષની સજા, 25 હજારનો દંડ

Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથના ઊનાના નાંદણ ગામના એક શખ્સને દુષ્કર્મ કેસમાં 10 વર્ષની સજા અને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો છે. દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર થતાં હવે નરાધમ 10 વર્ષ સુધી જેલના સળિયા ગણશે. દુષ્કર્મ કેસના 6 વર્ષ બાદ કોર્ટે આરોપીને દોષિત જાહેર કરી સજા સંભળાવી છે. પરણિત હોવા છતાં તેણે સગીરા સાથે પ્રેમસંબંધનું નાટક કર્યું હતું.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, 23 ડિસેમ્બર-2016ના નાંદણ ગામે રહેતો 24 વર્ષીય કિશન ભીમાભાઈ ચોહાણે પરિણીત હોવા છતા નવાબંદરની સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. અને તેની સાથે બળજબરીપૂર્વક સંબંધ પણ બાંધ્યા હતા. કિશન પર આરોપ હતો કે, તે સગીરાને અમદાવાદ, અંબાજી, આંબુરોડ સહિતની જગ્યાઓએ લઈ ગયો હતો. ત્યારબાદ સગીરાને તેના સંબંધીને ત્યાં અમદાવાદ મુકી પરત નાંદણ ગામે આવી ગયો હતો.

આ સમગ્ર મામલે સગીરાના પિતાએ નવાબંદર મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જે અંગેનો કેસ ઊના સ્પો.પોસ્કો કોર્ટનાં જજ રેખાબેન આસોડીયાની કોર્ટમાં ચાલી રહ્યો હતો. સરકારી વકીલ મોહનભાઈની ધારદાર દલિલોને ધ્યાને રાખી ભોગ બનનારા સહેદોની જુબાની, પુરાવા સહિત ધ્યાને લઈ આરોપી કિશનને કોર્ટે 10 વર્ષની સખત કેદની સજા તેમજ કુલ રૂ.25 હજારનો દંડ ફટકાર્યો છે. આ કેસ દરમિયાન કિશન જામીન પર મુકત હતો અને કેસ ચાલી જતા જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments