Homeગુર્જર નગરીમોરબી: શેરીમાં અપશબ્દો બોલતા યુવકને લોકોએ માર મારતા ઘરે જઈ સળગી ગયો

મોરબી: શેરીમાં અપશબ્દો બોલતા યુવકને લોકોએ માર મારતા ઘરે જઈ સળગી ગયો

Team Chabuk-Gujarat Desk: મોરબી જિલ્લાની મહેન્દ્રનગર શેરીમાં એક યુવક અપશબ્દો બોલતો હોય લોકોએ તેને અપશબ્દો બોલવાની ના પાડી હતી અને માર માર્યો હતો. યુવકે લોકોને હું મરી જાવ છું કહી ઘરે ચાલ્યો ગયો હતો. ઘરે જઈ તેણે અપમાનસહજ લાગતા અગ્નિસ્નાન કરી લીધું હતું. આત્મહત્યાની આ ઘટનાથી સમગ્ર વિસ્તાર ચોંકી ગયો હતો. અગ્નિસ્નાન કરી ચૂકેલા યુવકને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર બનાવની જાણકારી થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

shreeji dhosa

ઘટનાની પ્રાપ્ત વિગતો કંઈક એવી છે કે સોમવારની રાત્રે સંજય શેરીમાં બેફામ ગાળો બોલતો હતો. શેરીના લોકોએ તેને ગાળો બોલવાની ના કહી હતી પણ તે અટક્યો નહોતો. જેથી લોકોએ તેની સાથે મારકૂટ કરતા તે ટોળા વચ્ચેથી ભાગી છૂટ્યો હતો. ભાગતા ભાગતા કહ્યું હતું કે હું મરી જઈશ.

shreeji dhosa

જે પછી થોડી જ વારમાં તેણે ઘરમાં જઈ અગ્નિસ્નાન કરી લીધું અને સળગતી હાલતમાં ઘરની બહાર આવી પડી ગયો હતો. યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. અહીં તબીબોએ જણાવ્યું હતું કે યુવકની સ્થિતિ ગંભીર છે. જ્યારે પોલીસે આ ઘટનામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ મળતી માહિતી પ્રમાણે સંજય બે ભાઈમાં મોટો છે અને શાકભાજી વેચી ગુજરાન ચલાવે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments