Homeગુર્જર નગરીબદલીનો નિયમ બદલાયોઃ પ્રાથમિક શિક્ષકોની બદલીના સમય મર્યાદામાં ઘટાડો, જીતુ વાઘાણીની જાહેરાત

બદલીનો નિયમ બદલાયોઃ પ્રાથમિક શિક્ષકોની બદલીના સમય મર્યાદામાં ઘટાડો, જીતુ વાઘાણીની જાહેરાત

Team Chabuk-Gujarat Desk: આજે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રાથમિક શાળાના શિક્ષકોને મોટી રાહત આપતી જાહેરાત કરી છે. ભાવનગરમાં જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, પ્રાથમિક શિક્ષકોની બદલીના સમય મર્યાદામાં ઘટાડો કરાયો છે. બદલીની સમય મર્યાદા ઘટાડી 5 વર્ષ કરવામાં આવી છે. અગાઉ બદલી માટે 10 વર્ષની સમય મર્યાદા હતી. ત્યારે આ જાહેરાત કરતા શિક્ષણ મંત્રીએ કહ્યુ કે, આજે દરેક શિક્ષકના ઘરે મીઠાઈ વહેંચાશે. 

shreeji dhosa

શિક્ષણ મંત્રીએ કહ્યુ કે, 2012નો જે નિર્ણય હતો તેને સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે. 100 ટકા શિક્ષકોને ફેરબદલીનો લાભ મળશે. હવે શિક્ષકો 5 વર્ષ બાદ બદલી માટે અરજી કરી શકશે. બદલીના કિસ્સામાં ફરિયાદ નિવારવા સમિતિની રચના કરવામાં આવશે. શિક્ષકોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈને રાજ્ય સરકારે આ ફેરફાર કર્યા છે. વર્ષોથી વેઠવી પડતી મુશ્કેલીઓ હવે શિક્ષકોએ નહીં ભોગવવી પડે. રાજ્ય સરકારના આ મહત્વના નિર્ણયથી રાજ્યના 2 લાખથી વધુ શિક્ષકોને લાભ મળશે. 

આ ઉપરાંત, બદલી પાત્ર શિક્ષક દંપતી સાથે રહે એ રીતે પણ નવા નિયમમાં જોગવાઈ કરાઈ છે. ફેર બદલી અને જિલ્લા ફેરની અરસ પરસ બદલીનો લાભ મળશે. ભવિષ્યની પેઢીને ધ્યાને રાખીને નિયમો બનાવવામાં આવ્યા છે. શિક્ષકોની વર્ષો જૂની માંગણીઓ સરકારે સ્વીકારી છે. બે વર્ષમાં તમામ શિક્ષકોને પોતાના વતનમાં બદલીઓ કરી દેવાશે. આમ, શિક્ષકોની વર્ષો જૂની માગણી સરકારે સ્વીકારી છે તેવું જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું. 

શિક્ષણ મંત્રીએ વધુ એક જાહેરાત કરતાં જણાવ્યું કે, આ ઉપરાંત અરસપરસ બદલી કરવા માટે અરજી કરવાની છેલ્લી તા.૨૬ માર્ચ હતી તે વધારીને હવે આવતી તા.૩જી મે સુધી લંબાવવામાં આવી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments