Team Chabuk-Gujarat Desk: રાજ્યભરના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે ખેડૂતોને વ્યાજમાંથી મુક્તિ આપી દીધી છે. એટલે કે રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારે મહત્વનો નિર્ણય લઈને રાજ્યના ખેડૂતોને વ્યાજ ન ભરવું પડે તે માટે 4 ટકા વ્યાજની સહાય છૂટી કરી છે.
છેલ્લા ઘણા સમયથી રાજ્યના ખેડૂતોની માંગ હતી કે તેઓને ધિરાણ પરના વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવે. ત્યારે ખેડૂતો માટે રાજ્ય કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે એક મોટી જાહેરાત કરી છે. તેમણે ખેડૂતોની તરફેણમાં પરિપત્ર જાહેર કર્યો છે. ખેડૂતોને વ્યાજ ન ભરવું પડે તે માટે રાજ્ય સરકારે ચાર ટકા વ્યાજની સહાય છૂટી કરી છે. રાજ્ય સરકારના નિર્ણયથી હવે ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે લોન મળી રહેશે. આ લોનનું જે વ્યાજ છે તે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વહેંચાઈ જશે. અત્યાર સુધી સરકારનો નિર્ણય ન થવાના કારણે ખેડૂતોને પાક પર ધિરાણ લેવામાં વ્યાજ ભરવું પડતું હતું. પરંતુ હવે 4 ટકા પાક ધિરાણની રકમ સરકાર છૂટી કરી રહી છે.
ખેડૂતોને વિના વ્યાજે સમયસર પાક ધિરાણ મળી રહે એ માટે સરકાર તથા રાજ્ય સહકારી બેંક દ્વારા 4% વ્યાજ ચૂકવવાના અગત્યના ઐતિહાસિક નિર્ણય બદલ આદરણીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી તથા માનનીય રાજ્ય સહકાર મંત્રી શ્રી @MLAJagdish જીનો રાજ્યના સૌ ખેડૂતોવતી હૃદયપૂર્વક આભાર. pic.twitter.com/ct6aaMSHDJ
— Raghavji Patel (@RaghavjiPatel) April 22, 2022
સરકારના આ નિર્ણય બાદ રાજ્યના ખેડૂતોની મુશ્કેલીઓનો અંત આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ખેડૂતોને વગર વ્યાજે ઘિરાણ મળવું જોઈએ છતાં વ્યાજ ભરવું પડતું હતું તેથી અમે સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને રજૂઆત કરી અને તેમની સૂચનાથી જ આ નિર્ણય લીધો છે. સહકાર મંત્રીની હાજરીમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.

હવેથી ખેડૂતોના ધિરાણ પર જે વ્યાજ લેવામાં આવતું હતું તે સરકાર ભોગવશે. ધિરાણ પર કુલ 7 ટકા વ્યાજ લેવામાં આવે છે જેમાંથી કેન્દ્ર સરકાર અગાઉથી જ 3 ટકા ભરતી હતી જેથી ખેડૂતોને ચાર ટકા વ્યાજ ચૂકવવું પડતું હતું પરંતુ હવેથી આ બાકીનું ચાર ટકા વ્યાજ પણ રાજ્ય સરકાર ભોગવશે જેથી ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ ઉપલબ્ધ થશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત