શૈલેષ નાઘેરા: ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ વિકાસ વિભાગની મનરેગા શાખામાં કામ કરતાં જિલ્લાના ગીર ગઢડા, ઉના, કોડીનાર, સુત્રાપાડા, તાલાલા અને વેરાવળ એમ તમામ તાલુકાના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ સંબંધિત અધિકારીને આવેદનપત્ર આપીને પોતાની પડતર માંગણીઓનો સ્વીકાર કરવા રજૂઆત કરાઈ હતી.
ગત તારીખ 5 એપ્રિલ અને ૧૨ એપ્રિલના રોજ પોતાના પડતર પ્રશ્નો બાબત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. આ તમામ કર્મચારી છેલ્લાં ૧૨ વર્ષથી નિષ્ઠાપૂર્વક નજીવા પગાર થી ફરજ બજાવી રહ્યાં છે. આ કર્મચારીઓને મળતા દર વર્ષનો 15%નો પગાર વધારો, ઇ.પી.એફ, ટી.એ.ડી.એ, જોબ સિક્યુરિટી, સમાન કામ સમાન વેતન, પગાર વિસંગતતા, અનિયમિત પગાર, અનિયમિત કરાર પદ્ધતિ, જેવા અનેક પ્રશ્નો ઉકેલાયા નથી માટે આ કર્મચારીઓ 28 એપ્રિલથી કાળી પટ્ટી ધારણ કરી તાલુકા કક્ષાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યાર બાદ ક્રમશઃ પેન ડાઉન, ઓનલાઈન કામગીરી બંધ, સરકારી વોટ્સએપ ગ્રુપમાંથી નીકળી જવું, જિલ્લા કક્ષાએ ધરણાં તેમજ 1લી મેનાં રોજ ગુજરાત મજદૂર દિન નિમિત્તે અમદાવાદ ખાતે વિશાળ રેલીનું આયોજન તેમજ ત્યાર બાદ 5 મેના રોજથી સદંતર કામગીરી બંધ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જો 15 મે સુધીમાં કોઈ નિરાકરણ નહીં આવે તો, ગુજરાત મજદૂર સભા અને ઓલ ગુજરાત મનરેગા કર્મચારી યુનિયનના નેજા હેઠળ હડતાળ કરી આગળની કાર્યવાહી કરશે.
કર્મચારીઓની તમામ માંગણીઓ, સરકારી ઠરાવો, પરીપત્રો, લેટર, અને હાઈકોર્ટ ગુજરાતનાં ચુકાદાને આધીન જ છે. બહારની કે કોઈ અલગ માંગણીઓ નથી માટે આ પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે આવે એવી માંગ ઓલ ગુજરાત મનરેગા કર્મચારી યુનિયન દ્વારા ઉઠી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
