Team Chabuk-Gujarat Desk: વડોદરા શહેરનો શિક્ષક પરિવાર રહસ્યમય ગુમ થઇ જતા ચકચાર મચી ગઈ હતી. જોકે, આજે આ પરિવાર 19 દિવસે પરત ફર્યો છે. આ પરિવાર આટલા દિવસ અમદાવાદ અને દિલ્હીમાં ભીખ માંગીને ગુજરાન ચલાવતો હતો. વડોદરા પરત આવેલા શહેરના કપુરાઈ ચાર રસ્તા પાસે કાન્હા આઇકોનમાં રહેતા રાહુલભાઇ જોશીએ જણાવ્યું હતું કે, મકાન પર લોનના નામે અમારી સાથે ઠગાઇ થતાં દેવું થઇ ગયું હતું. જેથી મારી પત્ની અને બાળકો સહિત પરિવાર સાથે આત્મહત્યા કરવાના ઇરાદે ઘર છોડી નીકળ્યા હતા. પહેલાં અમે અમદાવાદ અને ત્યાર બાદ ત્યાંથી દિલ્હી ગયાં હતા. ત્યાં અમે રેલવે સ્ટેશન સહિતની જગ્યાઓ પર ભીખ માંગીને ખાતા અને રહેતાં હતાં. અમે ઘર છોડીને નીકળી ગયાં બાદ કુટુંબીજનોની ક્લિપ સોશિયલ મીડિયામાં જોતા અમે પરત ફર્યાં છીએ. મારાં બાળકોએ અમને આપઘાત કરતાં રોક્યાં અને કહ્યું કે, આપણે મહેનત કરીને દેવું ઉતારી દઇશું પણ આત્મહત્યાનું પગલું નથી ભરવું.
ગુમ થયા પહેલાં ચિઠ્ઠીમાં શિક્ષકે લખ્યું હતું કે ‘અમારા મોત માટે નિરવ ભૂવા, રાહુલ ભૂવા, બિટ્ટુભાઇ અને અલ્પેશ મેવાડા જવાબદાર છે’ પોલીસને મકાનમાંથી શિક્ષક પરિવારના ચાર સભ્યોના મોબાઇલ ફોન મળ્યા હતા. પોલીસ દ્વારા પરિવારને સહીસલામત શોધી કાઢવા માટે ચાર ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.
વડોદરાના કપુરાઈ ચોકડી પાસે કાન્હા આઈકોનમાં ત્રીજા માળે 303 નંબરના મકાનમાં રાહુલ જોશી પત્ની નીતાબેન, પુત્ર પાર્થ અને પુત્રી પરીબેન રહેતાં હતાં. મૂળ ભાવનગરના દૂધાળાના વતની રાહુલ જોશી સ્કૂલમાં હંગામી શિક્ષક હતા અને ટ્યૂશન કરાવતા હતા. તેઓએ તેમનો ફલેટ મોર્ગેજ મૂકીને 29 લાખ રૂપિયાની લોન લીધી હતી. આ લોન નિરવના નામે લીધી હતી. હોટલના ધંધા માટેની લોન લીધા બાદ ધંધો ન ચાલતા આર્થિક ભીંસ શરૂ થઇ હતી. એક બાજુ મકાનનો હપ્તો અને બીજું ધંધા માટે લીધેલી લોન બંનેના હપ્તા ચાલુ થતાં તેઓ આર્થિક ભીંસમાં આવી ગયા હતા.
જેથી બંને જણાં 50-50 ટકા હપ્તા ભરતા હતા. રાહુલભાઈના મોટા ભાઈ પ્રણવ જોશી (ડભોઈ)ના ફોન પર સંબંધીઓએ કોલ કર્યા હતા કે, રાહુલ જોશીનો ફોન લાગતો નથી. જેથી પ્રણવભાઈ વડોદરા દોડી આવ્યા હતા અને રાહુલના ઘેર પહોંચતાં ઘર બંધ હતું. ત્યારબાદ પ્રણવ જોશીએ પાણીગેટ પોલીસને રાહુલ જોશીનો પરિવાર ગુમ થયો હોવાની અરજી આપી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
