Team Chabuk-Sports Desk: BCCIએ આ મહિને ન્યુઝીલેન્ડ સામે રમાનારી T20 શ્રેણી અને વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. આ સિરીઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ અપાયો છે. તેમની જગ્યાએ અન્ય યુવા ખેલાડીને તક આપવામાં આવી છે. ટીમની કમાન હાર્દિક પંડ્યા સંભાળશે.
આ ઉપરાંત વિકેટ કીપર બેટ્સમેન કેએલ રાહુલ અને ઓલરાઉન્ડર અક્ષર પટેલની પણ પસંદગી નથી કરાઈ. બીસીસીઆઈએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે આ બંને ખેલાડીઓ પારિવારિક પ્રતિબદ્ધતાઓને કારણે હાજર નહીં રહી શકે.
29 વર્ષીય વિકેટ કીપર બેટ્સમેન જીતેશ શર્મા ન્યુઝીલેન્ડ સામેની T20 સીરીઝમાં ટીમ ઈન્ડિયાનો રિઝર્વ વિકેટ કીપર હશે. આ પહેલા સંજુ સેમસન ઈજાગ્રસ્ત થયા બાદ તેને શ્રીલંકા સામેની ટી20 શ્રેણીમાં પણ તક મળી હતી. તો બીજી તરફ, લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાં વાપસી પર કામ કરી રહેલા ઓપનર પૃથ્વી શૉને ન્યૂઝીલેન્ડ સામેની ટી20 શ્રેણીમાં તક મળી છે. તાજેતરમાં જ પૃથ્વી શૉએ રણજી ટ્રોફીમાં ત્રેવડી સદી ફટકારી હતી.
બોર્ડે ફરી એકવાર રોહિત શર્મા અને વિરાટ કોહલીને T20 ટીમમાં પસંદ કર્યા નથી. જોકે, BCCIએ આ બે દિગ્ગજ ખેલાડીઓને પસંદ ન કરવાનું કારણ જણાવ્યું નથી. સાથે જ રવિન્દ્ર જાડેજા પણ ફીટ નહોતો. આ કારણે તેને ટીમમાં જગ્યા મળી નથી.
ન્યુઝીલેન્ડ સામેની T-20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયા
હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, પૃથ્વી શો અને મુકેશ કુમાર.
વનડે માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત (વિકી), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ. શમી, મોહમ્મદ. સિરાજ, ઉમરાન મલિક
ભારત ન્યુઝીલેન્ડ T20 શ્રેણી શેડ્યૂલ
ભારત vs ન્યુઝીલેન્ડ, 1લી ટી20 27-જાન્યુઆરી – રાંચી
ભારત vs ન્યુઝીલેન્ડ, 2જી ટી20 29-જાન્યુઆરી – લખનૌ
ભારત vs ન્યુઝીલેન્ડ, ત્રીજી અને અંતિમ ટી20 01- ફેબ્રુઆરી – અમદાવાદ
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત