Team Chabuk-Gujarat Desk: સુરતના વેસુ વિસ્તારમાં આવેલા વીઆર મોલના ફૂટપાથ પરથી મળેલા મહિલાના મૃતદેહ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે, મહિલાની લાકડાના ફટકા મારી હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે હત્યા ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી ત્યારે પોલીસની જાણકારી મળી હતી કે મરનાર યુવતીના અનૈતિક સંબંધને લઈને તેની હત્યા થઈ છે અને તેના ઘર નજીક રહેતા જ એક યુવક સાથે પ્રેમમાં હતી અને લગ્ન માટે દબાણ કરતી હોવાને લઈને પ્રેમી દ્વારા હત્યા કરવામાં આવી હતી.
પોલીસે તાત્કાલિક આ મામલે ગુનો દાખલ કરી અત્યારે પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી. સુરતના સ્થિત મગદલ્લા વાય જંકશન નજીક આવેલા એસએમસીના ફૂટપાઠ પરથી એક યુવતીની લાશ મળી હતી. યુવતીના માથાના ભાગે ગંભીર ઈજાના નિશાન હતા.

આ કેસમાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, યુવતીના અનૈતિક સંબંધોના કારણે હત્યા થઈ છે. જે યુવતીની હત્યા થઈ તે વૈશાલી રાઠોડ પરણિત હોવા છતાં પોતાના ઘર પાસે રહેતા કુણાલ સોની નામના યુવકના સંપર્કમાં હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને છેલ્લા લાંબા સમયથી વૈશાલી કૃણાલ ને લગ્ન માટે દબાણ કરતી હોવાનો દાવો છે.
બીજી તરફ કૃણાલ પણ પરણિત હતો. વૈશાલી લગ્ન જેને લઇને પ્રેમી કૃણાલ કંટાળી ગયો હતો. જેને લઇને બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ સમયે ક્રોધે ભરાયેલા કૃણાલે વૈશાલીને લાકડાના ફટકા મારી ઠંડા કલેજે મોતને ઘાટ ઉતારી હતી. હાલ પોલીસે કૃણાલની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
