Team Chabuk-Gujarat Deks: સુરેન્દ્રનગરમાં સાયલા-ચોટીલા હાઇવે પર કાર પલટી જતાં અકસ્માત સર્જાયો, જેમાં લોકોના સારવાર દરમિયાન વૃદ્ધ દંપતીનું મોત થયું. જ્યારે અન્ય પાંચ લોકો હજુ સારવાર હેઠળ છે.
કારનું ટાયર ફાટતાં સાયલા પાસે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યા બાદ કાર પલટી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, કાર દૂર સુધી ફંગોળાઈ ગઈ હતી અને રસ્તો કારમાં સવાર લોકોની ચિચિયારીથી ગૂંજી ઉઠ્યો હતો.

દુર્ઘટનામાં કારમાં સવાર બે લોકોનાં મોત થયા છે. જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થાય છે. મૃતક દંપતી સાયલા તાલુકાના ધાંધલપુર ગામના વતની હોવાનો ખુલાસો થયો છે. જ્યારે પાંચ ઘાયલો પૈકી ત્રણ મુંબઇના હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
સાયલા ચોટીલા નેશનલ હાઇવે પર કાર પલટી મારી જતાં વૃદ્ધ દંપતીનું મોત નિપજ્યું. સાયલાથી સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે વૃદ્ધ દંપતીને રિફર કરતા સારવાર મળે તે પહેલા રસ્તામાં જ નિપજ્યું મોત હતું.

રાજકોટ તરફથી આવતી ઈકો કારનું હાઇવે પર સાયલા પાસે અચાનક ટાયર ફાટતા સર્જાયો અકસ્માત.અન્ય 05 વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત