Homeગુર્જર નગરીહર હર મહાદેવ: આજથી અમરનાથ યાત્રાનો શુભારંભ, આ દિવસે થશે યાત્રાનું સમાપન

હર હર મહાદેવ: આજથી અમરનાથ યાત્રાનો શુભારંભ, આ દિવસે થશે યાત્રાનું સમાપન

Team Chabuk-Gujarat Desk: આજથી અમરનાથની યાત્રાનો શુભારંભ થયો છે. 30 જૂને પહેલાં તબક્કામાં ભક્તો રવાના થયા હતા. જે આજે બાબા બર્ફાનીના દર્શન કરશે. અમરનાથની યાત્રાનું સમાપન 31 ઓગસ્ટ શ્રાવણ પૂર્ણિમાના દિવસે થશે.

શિવભક્તો ભક્તો દર વર્ષે લોકો જમ્મુ-કાશ્મીરમાં હિમાલય પર સ્થિત અમરનાથની પવિત્ર ગુફામાં બનતા શિવલિંગના દર્શને જાય છે. જે બાબા બર્ફાની તરીકે પણ ઓળખાય છે.
યાત્રા માટે બેઝ કેમ્પથી 3,488 યાત્રીઓને મોકલાયા છે. બીજી તરફ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અમરનાથ યાત્રાના બંને માર્ગો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમરનાથ યાત્રામાં સુરક્ષાની જવાબદારી સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસને સોંપવામાં આવી છે.

Amarnath Yatra Starts from today

આ વખતે સલામત અને સરળ યાત્રા માટે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અહીંના વાહનો પણ રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન લગાવવામાં આવ્યા છે. ઉપરાંત અહીં આવનાર તમામ મુસાફરોને ટેગ કરવામાં આવશે. જેના કારણે મુસાફરોના લોકેશન વિશે જાણી શકાશે.

આ વર્ષે અમરનાથ બાબા, માતા પાર્વતી અને પુત્ર ગણેશ પવિત્ર ગુફામાં પૂર્ણ કદમાં દેખાયા છે. અમરનાથ શ્રાઈન બોર્ડના આદેશ અનુસાર બંને માર્ગોથી દરરોજ 15000 શ્રદ્ધાળુઓને ગુફામાં દર્શન માટે જવાની મંજૂરી આપવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments