Team Chabuk-Gujarat Desk: સુરતમાં અમદાવાદ ઈસ્કોન બ્રિજ દુર્ઘટના જેવી જ દુર્ઘટના સર્જાઈ. શહેરના કાપોદ્રામાં રાત્રે પૂરપાટ ઝડપે આવતી સ્વિફ્ટ કારના ચાલકે બીઆરટીએસ રૂટમાં ત્રણ બાઈકચાલક અને બે રાહદારીને અડફફેટે લીધા હતા. દુર્ઘટના બાદ લોકોએ કારચાલકને પકડી મેથીપાક ચખાડ્યો હતો.
મળતી માહિતી મુજબ કાપોદ્રામાં સ્નેહ મુદ્રા સોસાયટી પાસે રાત્રે સ્વિફ્ટ કારના ચાલક સાજન પટેલે બીઆરટીએસ રૂટમાં ત્રણ બાઈક અને બે રાહદારી સહિત 6 જેટલા લોકોને ઉડાવ્યા હતા. બીઆરટીએસ રૂટ પૂરો થઈ રહ્યો હતો, ત્યાં ચાર રસ્તા પર બાઇકસવાર રસ્તો પાર કરી રહ્યા હતા આ જ દરમિયાન સાજને તેમને અડફેટે લીધા હતા. અકસ્માત સ્થળથી 25 ફૂટ દૂર કાર રોકાઈ ગઈ હતી. જેથી લોકોએ કારના ચાલકને કારમાંથી બહાર કાઢી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. લોકોનો આરોપ છે કે, કારચાલક નશામાં હતો.

અકસ્માતની જાણ થતાં કાપોદ્રા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કારચાલકને સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાયો હતો. સદનસીબે દુર્ઘટનામાં કોઈનો જીવ ગયો નથી પરંતુ તમામ ઈજાગ્રસ્તોને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત