Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકના બનાવવામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં મંગળવારે સવારે એક કોલેજના વિધાર્થીને અચાનક પીઠમાં દુખાવો ઉપડયા બાદ મોત નીપજ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી આદર્શ સોસાયટી ખાતે રહેતો 20 વર્ષીય નિર્મળકુમાર કનુભાઈ પટેલ આજે મંગળવારે સવારે ઘરે હાજર હતો. ત્યારે તેને અચાનક પીઠના ભાગે દુખાવો ઉપડ્યો હતો.
પરિવારજનો તેને તરત નવી સિવિલ હોસ્પિટલમા ખસેડાયો હતો. જ્યા ફરજ પરના ડોક્ટર તેને મૃત જાહેર કર્યો હતો. નિર્મળના પરિચિત વ્યક્તિએ જણાવ્યું હતું કે નિર્મળ અઠવાલાઇન્સ ખાતેની કે.પી.કોમર્સ કોલેજમાં બીકોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેને એક ભાઈ બેંકમાં નોકરી કરે છે. તેના મોતને પગલે પરિવારમાં શોક ફેલાઈ ગયો છે.
જ્યારે નિર્મળનુ પોસ્ટમાર્ટમ કરનાર ડોકટરે જણાવ્યું હતું કે તેને હાર્ટ એટેક આવ્યો હોવાની શક્યતા છે. પણ તેના લીધેલા વિવિધ સેમ્પલોના રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે. આ અંગે ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત