Homeગુર્જર નગરીમાળો વિંખાયો: સુરતમાં પહેલા પત્નીની હત્યા કરી બાદમાં પતિએ આત્મહત્યા કરી લીધી

માળો વિંખાયો: સુરતમાં પહેલા પત્નીની હત્યા કરી બાદમાં પતિએ આત્મહત્યા કરી લીધી

Team Chabuk-Gujarat Desk: સુરતના ડીંડોલીમાં માનસિક તણાવમાં રહેતા પતિએ પત્નીની તીક્ષ્ણ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી. બાદમાં પોતે પણ ગળેફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધું. બનાવની જાણ થતા ઘટના પહોંચેલી પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પતિ છેલ્લા ઘણાં સમયથી માનસિક ડિપ્રેશનમાં રહેતો હતો. તેની સારવાર પણ ચાલી રહી હતી. ત્યારે માનસિક તણાવમાં પત્ની જોડે ઝઘડો થયા બાદ આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ છે.

ડીંડોલી વિસ્તારમાં આવેલા કૈલાસનગર સોસાયટીમાં પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ડીંડોલી પોલીસ મથકમાં પીઆઇ આરવસિંહ ચુડાસમાના જણાવ્યા અનુસાર, ડીંડોલી કૈલાસનગર સોસાયટીમાં રાજુભાઇ સોની અને તેની પત્ની રહે છે. પત્ની શિક્ષક તરીકે ફરજ બજાવતી હતી. બંનેને સંતાનમાં બે દીકરીઓ છે. જે શહેર બહાર પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. સવારે રાજુભાઇની પત્નીની બહેન ઘરે આવી હતી. જ્યાં ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો તોડીને જોતા અંદર બંનેના મૃતદેહ પડ્યા હતા. હાલ આ સમગ્ર મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Surat Gujarat first the wife was killed and then the husband committed suicide

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments